________________
પૂર્વભવો
સમ્યકત્વપ્રાપ્તિ-ચામચિંતક
શમણુપરંપરામાં અવતારવાદ નથી પણ ઉત્થાનવાદ છે. તેથી કઈ પૂર્ણાત્મા અવતાર લે છે અને જગતમાં અધર્મનું નિરાકરણ કરી ધર્મની પ્રસ્થાપના કરે છે–એવું મનાયું નથી પરંતુ એવી માન્યતા છે કે કેઈ એક જીવ અનાદિકાળથી પુનર્જન્મના ચક્રમાં ભટકતો ભટકતે ક્યારેક સંસારથી વિમુખ થઈ નિર્વાણમાર્ગાભિમુખ બને છે અને પિતાના આત્મામાં રહેલા દોષોનું નિરાકરણ કરી પૂર્ણ નિર્મળ આત્મા બને છે. અને તેવા અનેક આત્માઓમાં કોઈ એવા પણ હોય છે જે માત્ર પિતાના ઉદ્ધારથી સંતુષ્ટ ન થતાં અન્યના ઉદ્ધાર માટે પણ પ્રયત્ન કરે છે. આવા ઉત્તમોત્તમ આત્માને જૈન પરિભાષામાં તીર્થકર કે અરિહંત કહેવામાં આવ્યા છે અને બૌદ્ધોમાં બુદ્ધ. જૈન સિવાયની તે કાળની આવક આદિ પરંપરા પણ પિતાની પરંપરાના મહાપુરુષને તીર્થકર નામથી કે અરિહંત નામથી ઓળખતી એમ જાણવાનું સાધન જૈન આગમ અને પાલિપિટક તથા શિલાલેખે પૂરું પાડે છે.
પ્રસ્તુતમાં તીર્થકર ભગવાન મહાવીર વિષે પણ કહી શકાય કે તેમના જીવનનું જે નિરૂપણ પ્રાચીન કાળથી થતું આવ્યું છે તે આવી જૈનની મૂળ માન્યતાને પુરવાર કરે છે. જે પ્રકારની સાધના ભગવાન મહાવીરને પોતાના અંતિમ જીવનમાં પણ કરવી પડી છે, અને જે પ્રકારનો પ્રયત્ન પિતામાં રહેલા દેષોને દૂર કરવા તેમણે કર્યો છે–એ જોતાં એમ નિશ્ચિતપણે કહી શકાય કે મહાપુરુષોના જીવનની પ્રક્રિયા અવતારવાદમાં જે પ્રકારની છેતેથી સાવ જુદા જ પ્રકારની શ્રમણમાં, ખાસ કરી જેન–બૌદ્ધોમાં છે. પ્રથમ સ્વઉદ્ધાર પછી જ પર ઉદ્ધાર—આવી પ્રક્રિયા અવતારી પુરુષ રામ કે કૃષિાદિના જીવનમાં દેખાતી નથી. કારણ તેઓ તે જન્મ સાથે જ પૂર્ણ પુરુષ હેઈ નિર્દોષ મનાયા છે. તેમણે પિતાને નિર્દોષ કરવાને કોઈ પ્રયત્ન કરવો જરૂરી નથી. પણ શ્રમણના મહાપુરુષોમાં ૧. અવતારવાદ અને ઉત્થાનવાદ એમાં પ્રથમ શું તેની ચર્ચા માટે જુઓ,
ચઉ૦ પ્રસ્તાવના. P. 8. ૨. તત્ત્વાર્થભાષ્યગત પ્રારંભિક કારિકાઓ–કા૬-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org