________________
સહાવીર્ચરિત મીમાંસા
આચારાંગ–દ્વિતીય શ્રુતસ્કંધ
આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ભ. મહાવીરનું સાધપૂર્વ—-અવસ્થાનું જીવન આવ્યું છે (આચા૨.૧૭૫થી) જે વિશે તેના પ્રથમ શ્રુતસ્કંધમાં કશી હકીક્તા મળતી નથી. અહીં તેમને “અળમજવાન મદાવા એ નામે જ વિશેષ ભાવે ઓળખાવ્યા છે તેથી જણાય છે કે હવે તેઓ આ જ નામે વિશેષરૂપે પ્રસિદ્ધ થઈ ગયા હતા (આચા, ૨. ૧૭૫). તેમનું માતાપિતાએ આપેલ નામ તે કુમાર વર્ધમાન હતું એ પણ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે (આચા, ૨. ૧૭૬) પરંતુ “મહાવીર’ એવું નામ દેવે દીધેલું છે એવી પરંપરા પણ સ્થાપિત આમાં જ થયેલી જણાય છે (આચા. ૨.૧૭૭). ઉપરાંત તેમને વિશેનું નામ બાબતને વક પણ આ પ્રમાણે છે–“ને માવે મહાવીર ના નાગપુર નવનિરો વિશ્વેદે વિજેટ્રિને વિરેજો વિહતૂ (આચા૦ ૨. ૧૭૯). આમાંથી તેમના પિતાના કુલને આધારે જ્ઞાતૃ અને જ્ઞાતૃપુત્ર નામો છે એ ફલિત થાય છે અને તેમની માતાનું એક નામ વિદેહદિન્ના (આચા૦ ૨. ૧૭૭) એવું પણ છે તેથી તેના આધારે ભ. મહાવીરના નામમાં પણ વિદેહે આદિ વિશેષણો આવ્યાં છે. આ ઉપરાંત પરાપૂર્વથી ચાલ્યા આવતા ઉત્તળ (૨. ૧૭૯), જિનવ વર (૨. ૧૭૯) આદિ પણ દેખાય છે. પણ વિશેષ વાત તો એ છે કે અહીં ભ. મહાવીરના તિથરામિક (૨. ૧૭૬) તથા દેવો દ્વારા 'તિ પરિ(૨. ૧૭૯) જેવા ઉલ્લેખો મળે છે તે હવે તેમના જીવનમાં પૌરાણિકતા લાવવા પ્રયત્ન છે. વળી તેમને પ્રથમ વાર અહીં ‘તિસ્થયર’ (આચા, ૨. ૧૦૯) પણ કહ્યા છે. એટલું જ નહિ પણ પ્રથમ જ વાર અહીં—સે મયં નિને વરી તનૂ સંઘમાવારિણી (૨. ૧૭૯) તેમને સર્વજ્ઞ અને કેવલી તથા સર્વભાવદશી કહ્યા છે, જે વિશેષણે પાલિમાં પણ મળે છે. જેમ અહીં ભગવાનને સ્પષ્ટ રીતે કેવલી અને સર્વજ્ઞ કહ્યા છે તેમ તેમને ત્રણ જ્ઞાન દીક્ષા લેતી વખતે હતાં, અને ચોથું મન:પર્યવ જ્ઞાન દીક્ષા પછી ઉત્પન્ન થયું તે પણ જણાવ્યું છે (૨.૧૭૦) અને સ્પષ્ટ રીતે જેસ્ટિાનતાઝ્મ (૨.૧૬૯) અને વારંવાર “જેવી ગૂઠા જેવા પ્રયોગો મળે છે (આચા૦ ૨.૧૩, ૧૭, ૨૬, ૩૬, ૩૮, ૧૧૫, ૧૧૬, ૧૪૬, પર, ૧૭૯) જે
૧. ભ. બુદ્ધને પણ ઉપદેશ આપવાની બ્રહ્માએ વિનંતી કરી હતી. પછી જ
તેમણે ઉપદેશ દે શરૂ કર્યો એ બાબત અહી તુલનીય છે. Warder, Indian Buddhism', p. 50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org