________________
ભગવાન મહાવીરના પ્રાચીન વણકે
૧૫
ઉપદેશકના વર્ણનમાં આચારાંગનાં પ્રાથમિક અધ્યયનમાં ઉપદેશક ભગવાન મહાવીરને જે વિશેષણ આપ્યાં છે તે જોઈએ. પ્રસંગે એ જણાવવું જરૂરી છે કે અહીં ‘વીર’ કે મહાવીર' એ વિશેષણે પરાક્રમી માટે સર્વસાધારણ જેવાં છે, માત્ર ભ. મહાવીર માટે વાપરાયાં નથી. જે મહાવીર વિશ્વરિત' (આચા૦ ૧.૧૭૨) “gવં તેાિં મહાવીરાળ' (૧.૧૮૫, ૧૮૮), “તેહિ મહાવીરે હિં' (૧.૧૮૮) વીરાં' (૧.૧૪૦). આ બધામાં ભ. મહાવીરની વાત નથી, પરાક્રમી મહાપુરુષોને નિર્દેશ છે.
અહીં ધ્યાન દેવા જેવી વાત એ છે કે સાધનાનું વર્ણન કરતાં ભ. મહાવીર માટે “વીર “મહાવીર’ એવાં વિશેષણો પ્રયોજાયાં છે. છતાં આચારાંગના આ તેમના ઉપદેશના સંકલન કાળ સુધી તેમનું “મહાવીર” એવું “નામ” પ્રસિદ્ધ નથી અને તે નામ દેવે દીધેલું છે તેવી કથા જ્યારથી ચાઈતે પહેલાં તેઓ મહાવીરના નામે જરૂર પ્રસિદ્ધ થયા હશે. પણ એ સમય પ્રસ્તુત આચારાંગના સંકલન પછીનો જ હોવો જોઈએ એમ નિશ્ચિત કરી શકાય છે. પાલિ “નિગૂંઠ નાતપુર” કે “નાથપુર” એ ઉલ્લેખ પણ “મહાવીર નામની પ્રાચીનતામાં બાધક છે જ.
તે જ પ્રમાણે બુદ્ધ કે “પ્રબુદ્ધ એ વિશેષણ પણ વિશેષજ્ઞાનીઓ માટે વપરાતાં હતાં તેમ આચારાંગમાંથી જણાય છે. કેવળ ભ. મહાવીર માટે નહિ પણ સામાન્ય જ્ઞાની માટે બુદ્ધ' (૧૩૯, ૧૭૭, ૮.૮.૨; ૨૦૪) વિશેષણ વપરાયું છે અને “વહૂ–પ્રબુદ્ધ (૧૬૦) વિશેષણ પણ તેમના જેવા અન્ય માટે દેખાય છે. આ ‘બુદ્ધ' વિશેષણ પછીના કાળે બૌદ્ધ ધર્મના સ્થાપક સિદ્ધાર્થ ગૌતમનું નામ બની ગયું.
સાધકની જેમ ઉપદેશક મહાવીર માટે પણ “નાયપુત્ત’ શબ્દ (૮.૮.૧૨) વપરાયો છે. વળી “બેન મફા ” એ પણ દેખાય છે (૨૦૦, ૨૦૬) અને “માવવા ” જેવા પ્રયોગ વારંવાર દેખાય છે (૧, ૧૦, ૧૫, ૧૬, ૨૩, ૪૫, પર, ૫૮, ૯૦, ૧૮૫, ૨૧૪, ૨૧૬, ૨૨૦). ઉપરાંત માયા વેરૂ માતુવન્નેનું જ્ઞાન 3યા (ર૦૦) એવા પ્રયોગોમાં તેમને આશા ઉપરાંત જ્ઞાન-દર્શનસહિત જણાવ્યા છે. અને “કુરુક્ષ્મ જંતi” (૧૬૬) એમ કહી ભ. મહાવીરને કુશલની ઉપાધિ પણ આપી છે. ૧. સૂત્રાંક બેટો મુદિત છે. તે ૧૬ જોઈએ, ૨. “ વરે વહિ કે હું પોયણ (૮૬) અથવા તે ૯૦માં અને ૧૪૦માં
વીર’ શબ્દ ભગવાન મહાવીર માટે નથી વપરાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org