________________
- હાસ્થકાળ ઘટના : કઠોર સાધના
વિરેચન, વમન, શરીરમાં તેલમર્દન, સ્નાન, શરીરનુ ધ્યાવવુ–ચ'પી, દાંતની સફાઈ—— —આ બધા ચિકિત્સાના પ્રકારા તેમણે ત્યજી દીધા હતા. ર
ઇન્દ્રિયના કામ-ભાગોથી વિરત હતા અને તે બ્રાહ્મણ અ૫ભાષી વિચરતા. ઠંડી ઋતુમાં છાયામાં રહી ભગવાન ધ્યાન ધરતા. ૩
૧૨૧
અને ગરમીમાં જ્યારે ખૂબ તાપ હોય ત્યારે ઊંડુ આસનમાં રહી તાપથી અભિમુખ થઈ આતાપના લેતા. અને વળી લૂખા એવા ભાત મથુ અને કલ્માષનું સેવન કરતાં. જ
(અહી એદન એટલે કેાદરીતે ભાત સમજવાના છે. મન્તુ એટલે ખેરનુ ચૂ` વગેરે. કલ્માષ ઉતરતુ. ધાન્યવિશેષ છે. ધાન્યતા આ હલકા પ્રકાર છે.) આ ત્રણેનું સેવન ભગવાન આઠ માસ દરમિયાન કરીને જીવનયાયન કરતા. કોઇવાર અડધા મા, માસ, બે માસથી પણ વધારે અથવા તો છ માસ સુધી પાકવિના ઇચ્છારહિત થઈ સતત વિચરતા હતા અને કાઈ વાર દાસી ભોજન કરતા. ૬-૬
કોઈ વાર એ ઉપવાસ પછી તો કોઈ વાર ત્રણ કે ચાર-પાંચ પછી ભાજન લેતા અને તેમાં દર સમાધિ માની છારહિત થતા. છ
સમજીને પોતે પાપ કરતા નહી, ખીન્ન પાસે કરાવતા નહિ અને કરતાને અનુમાન હું આપતા નહિ. ૮
(આદનઆદિ લેવાની જે વાત છે તે વિષે ચૂર્ણિમાં ખુલાસા છે કે અહી ભ. મહાવીર આ ત્રણે એકસાથે રતત લેતા એવા અર્થ નથી પણ એ ત્રણમાંથી જ્યારે જે મળી જાય તે એમ સમજવાનું છે. આઠ માસ એટલે વર્ષા સિવાયના
આ માસ સમજવી. વળી વર્ષાઋતુમાં પ્રથમના ત્રણ માસમાં પણ એ જ આહાર સમજવાના છે. વળી તે જે પાકની વાત કરી છે તે ભાજન માટે થતી હિ ંસા ટાળવાને અર્થે છે, કારણ ભગવાન ચાકામ્ય (આહાકશ્મ) ભાજનના ત્યાગી હતા.) ગ્રામમાં કે નગરમાં પ્રવેશને બીજાને માટે તૈયાર થયેલ ભાજનની અન્વેષણા કરતા. અને વિષ્ણુદ્ધ એટલે કે કોઇ પણ દોષ વિનાનું ભેજન શોધીને સયમ પૂર્વક તેનું સેવન કરતા. ૯
કાગડાને કે એવા જે કોઈ ભૂખથી પીડિત હૈાય તેવાં પ્રાણીઓને કે રસ એટલે કે પીણાની તલાશમાં નીકળેલા જીવાને પોતાના ભેજન માટે આવી પડતા જોઇ ને અથવા બ્રાહ્મણ કે શ્રમણ કે ગ્રામના પિડાલકગ્રામમાંથી ભિક્ષા લઇ જીવનાર મક કે અતિથિ કે ચાંડાલ, બિલાડી કે ધૃતરુ -- આ બધાને સમક્ષ જોઈ ને, તે બધાનુ ખાવાનુ ટી ન જાય તથા તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org