________________
૧૨૨
મહાવીરચરિત મીમાંસા
અરુચિ ન થાય તેમ વિચારી બીજાની હિંસા ન થાય તે રીતે ભગવાન ધીરે ધીરે ભિક્ષાની તલાશ કરતા. ૧૦-૧૨.
(આમાં ભિક્ષાચર્યામાં ભિક્ષુએ કેવો વિવેક રાખવાની આવશ્યકતા છે તેનું સૂચન છે.)
ભલે લીલું હોય કે સૂક, શીતપિંડ હોય કે જૂના કુલાષ, બેકકસજૂને ભાત અથવા સાથે હોય કે પુલાક–હલકું ધાન હેય–તે મળે કે ન મળે પણ કવિક જ રહેતા–એટલે કે મળવાથી રાજી ન થતા અને ન મળવાથી દુઃખી ન થતા. ૧૩
આસનમાં સ્થિર થઈ તે મહાવીર નિશ્ચિત બની ધ્યાન ધરતા અને સમાધિ લગાવી ઊર્ધ્વ, અધ: અને તિય કલેકનું કશી પણ પ્રતિજ્ઞા વિનાનિદાન વિના–ધ્યાન કરતા. ૧૪
કષાય વિનાના, ગૃદ્ધિ વિનાના અને શદ તથા રૂપમાં અનાસક્ત બની ધ્યાન ધરતા. પોતાના આ પ્રકારના પરાક્રમમાં છઘી છતાં એકાદ વાર પણ પ્રમાદનું સેવન તેમણે કર્યું નથી. ૧૫
(અહીં ચૂર્ણિકાર યાદ આપે છે કે ભગવાને એક જ વાર પ્રમાદ સેવ્યું છે અને તે અઠિગામમાં અંતમુહૂર્ત સુધી.)
આયોગ-જ્ઞાન-દર્શનચરિત્ર-તપના વેગથી આત્મશુદ્ધિ થાય છે એમ પોતાની મેળે જ જ્ઞાન કરીને ભગવાન અભિનિવૃત્ત થયા, અમાયી થયા અને યાજજીવન સમભાવી થયા. ૧૬ આ મુજબ (૧.૨૩).
આ ઉદેશકનું નામ જે રોગચિકિત્સા છે તે શારીરિક રોગ નહિ પણ આવ્યંતર રોગ રાગ-દ્વેષાદિની ચિકિત્સા કેવી રીતે કરવી–એને અનુલક્ષીને હોય તેમ જણાય છે.
પ્રસ્તુત ઉપધાનતપના વર્ણનમાં ભગવાન મહાવીરે કષ્ટો-શારીરિક કષ્ટ ઉઠાવ્યાં તે તો હકીકત છે. પણ અનેકવાર ઉલ્લેખ છે કે તેઓ ધ્યાનસ્થ રહેતા. તે સૂચવી જાય છે કે સાધનામાં મહત્ત્વ શારીરિક કષ્ટોનું નથી પણ ધ્યાનનું છે, ગમે તેવાં કષ્ટો આવે છતાં તેઓ પિતાના ધ્યાનથી વિચલિત થયા નથી અથવા તે ધ્યાન છોડયું નથી. એ આમાંથી સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org