SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મહાવીરચરિત મીમાંસા વળી કઈવાર આગન્તારમાં અને આરામગારમાં તે વળી કઈવાર નગરમાં વાસ કરતા. વળી સ્મશાન કે શૂન્યાગારમાં કે વૃક્ષની નીચે પણ વાસ કરતા-૩ (ગ્રામ કે નગરની બહારની પાળ્યશાળાઓ તે આગનાર છે. બગીચામાંનું ઘર તે આરામગૃહ, પૂર્વોક્ત કારિકામાં આવેશન અને આ ગાથાગત શૂન્યાગાર એ બેમાં જે ભેદ છે તે ટીકાકાર જણાવે છે કે આવેશનને દીવાલે હોય છે પરંતુ : શૂન્યાગારને દીવાલે હોતી નથી. ચૂર્ણિમાં જણાવ્યું છે કે ગ્રામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતા આ નિયમ ઋતુબદ્ધ કાળ માટે છે. વર્ષોમાં તે ચાર માસ. રહી શકાય. વળી વૃક્ષ નીચે વર્ષમાં રહેતા નહિ. વર્ષોમાં પણ જે ઘર ચૂતું ન હોય તેમાં રહેતા એમ ચૂર્ણિકાર જણાવે છે.). આવા શયન=નિવાસસ્થાનમાં તેર વર્ષ સુધી તે મુનિ સમના (m) =નિશ્ચલમનવાળા થઈ રહ્યા હતા. અને રાત-દિવસ યતનાપૂર્વક અપ્રમત્ત ભાવે સમાહિત થઈ ધ્યાન કર્યું હતું.-૪. (ભ. મહાવીરની સાધનાને કાળ ૧૩ વર્ષ હતું. તે આ ઉપરથી સૂચિત. થાય છે. કલ્પસૂત્રમાં “તારું દુવાસવાëરું છ૩થારિયાd (સૂ. ૧૪૬) “સો માવં મારે સારું કુવાસવાણા” (સૂ. ૧૧૫) એમ જણાવ્યું છે. એટલે પૂરા તેર વર્ષ નહિ પણ તેથી ઓછાં અભિપ્રેત છે. ચૂર્ણિમાં આથી લખ્યું છે-“afi grid ofઅવં' a તે વસં સેfઉં વરિષi anળ નિ ઉત્તેરસના સમથરા” ! સારાંશ કે હાસ્યકાળમાં તેરમું વર્ષ ચાલી રહ્યું હતું, તેટલા વર્ષ સુધી પ્રાકૃત “મા” શબ્દનો અર્થ અમન પણ થાય અને સમના પણું થાય એમ ચૂર્ણિમાં છે. ભગવાન રાત અને દિવસ જાગ્રત જ રહેતા નિદ્રા લેતા જ નહિ માટે બંને સમય “યતમાન—મન-વચન-કાય વડે એકાગ્ર, એમ કહ્યું છે. અપ્રમત્ત એટલે જિતેન્દ્રિય અને કષાયરહિત એવો અર્થ છે, અને ધ્યાન એટલે ધર્મ અને શુકલ એ સમજવાના છે.) સંયમમાં ઉત્થાન જેમણે કર્યું છે એવા ભગવાને કદી નિદ્રાની વિશેષ ભાવે કામના કરી નથી. સદા પિતાના આત્માને જાગ્રત રાખતા કદીક તેઓ થોડું સૂતા તે પણ તે સ્વેચ્છાથી નહિ.૫ (અહીં નાગાજુનીય પાઠાંતર છે– ળિદાખિ ધ્યાનમાં આવી” પણ તાત્પર્યમાં ખાસ ભેદ નથી. ચૂર્ણિકાર જણાવે છે કે છેડી પણ નિદ્રાને પ્રસંગ “અડ્ડીયા ગામમાં બને છે અને સમગ્ર જીવસ્થાળમાં નિદ્રાપ્રમાદ માત્ર અંતમુહૂર્ત કાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy