SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ છઘકાળ ઘટના : કઠોર સાધના ૧૧૫ આ મુજબનું અનેક પ્રકારનું આચરણ મતિમાન એવા તે બ્રાહ્મણ ભગવાનનું હતું અને તે પાછળ તેમની કોઈ પ્રતિજ્ઞા હતી નહિ એટલે કે નિદાન વિનાનું તેમનું આચરણ હતું. અને એ માગે બીજા અનેક જાય છે. ૨૩. (અહીં મૂળમાં “માહણ” શબ્દ છે. તેને ચૂર્ણિમાં “નાદળ ફતિ મળ” એવી વ્યુત્પત્તિ કરીને સર્વ પ્રકારના સાવદ્ય પ્રતિષેધ કરનાર એવો તેનો અર્થ છે એમ જણાવ્યું છે. વળી “માહણ” શબ્દને બદલે “સમણુ પાઠ હોવાની પણ સૂચના આપી છે. વળી ‘કાળા મરૂનયા” તે સ્થાને શાન મણિળા (હેવિળા) એવો પાઠ પણ નોંધ્યો છે. પરંતુ ભગવતીમાં બ્રાહ્મણી દેવાનંદાના પુત્ર હોવાની સ્વમુખે ભગવાન મહાવીરે કબૂલાત જે કરી છે તેને અનુસરીને અહીં તેમને “માહણ” કહ્યા હોય તે તેમાં શંકા કરવા જેવું છે નહિ. (૯૨) શય્યા ઉદ્દેશક : ચર્યાસંબંધી શયનાસન વિષે કહેવામાં આવ્યું છે તે ભગવાન મહાવીરે જે જે શયનાસનનું સેવન કર્યું તે તે વિષે કહે–૧ (આચાર્ય શીલાંક કહે છે કે “આ શ્લેકની ટીકા ચિરંતનાચાર્યો કરી નથી તે શું તે સુગમ છે માટે કે એ શ્લોક છે જ નહિ માટે ? પરંતુ સૂત્રપુસ્તકમાં તે આ લેક જોવા મળે છે તો તેમનો વ્યાખ્યા ન કરવામાં શે અભિપ્રાય હશે તેની અમને જાણ નથી.” ચૂર્ણિમાં આ ગાથાને ઉલ્લેખ તો છે જ અને પછી લખ્યું છે કે—giા પુર”. ચૂર્ણિમાં આની વ્યાખ્યા નથી કરી.) કઈ વાર તેઓ આવેશન, સભા, પ્રથા, પણ્યશાલા જેવા સ્થાનમાં તે કોઈવાર વળી લુહારની કેટમાં તો કોઈવાર ઘાસની ગંજીમાં વાસ કરતા–૨ (આમાં આવેશનને અર્થ શૂન્યગૃહ છે. જેમાં કેઈપણ વિના રોકટોક પ્રવેશ કરી શકે તેવા સ્થળને આવેશન કહેતા હશે. સભા =ગ્રામને ચોરો, પ્રપા=પરબ, અને પુણ્યશાલા એટલે દુકાન. ઘાસની ગંજી થાંભલા મૂકીને માંડવો બનાવી તેના ઉપર ઘાસ ગોઠવવામાં આવે છે એટલે તેની નીચે રહેવાની જગ્યા બની જાય છે. ચૂર્ણિકારે આવેશનના પ્રકારોમાં કુંભારાસણ, લેહાસણ—ઇત્યાદિ-જણાવ્યા છે. સભા-ગેરે ગ્રામ-નગરની મધ્યભાગમાં હોવાને ઉલ્લેખ ચૂર્ણિકાર કરે છે. આવી સભામાં ગ્રામસભા ઉપરાંત તે તે શ્રેણીઓની સભા હેવાને નિર્દેશ પણ ચૂર્ણિમાં છે. આવી સભામાં રુદ્ર આદિની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવતી. ચૂર્ણિકારે શાળા અને ઘરનો ભેદ બતાવ્યો છે કે જેને દીવાલે હેય તે ઘર, જેને દીવાલે ન હોય તે શાળા કહેવાય. વળી લેકમાં જેને શાળા કહેવાતું હોય તેવું સ્થાન પણ શાલાશબ્દથી સમજવાનું છે કારણ હસ્તિશાળા જેવાં સ્થાન દીવાલોથી ઘેરાયેલાં હોય છતાં શાળા કહેવાય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy