SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ છઘસ્થાકાળ ઘટના : કઠોર સાધના ૧૧૭ એટલે જ હતે. ટીકાકાર નોંધે છે કે બાર વર્ષમાં અસ્થિકગ્રામમાં વ્યંતરે ઉપસર્ચ કર્યો ત્યારે તેના અંતમાં જ્યારે ભગવાને કાત્સર્ગ કર્યો હતો તે કાળે અંતમુહૂર્ત સુધી સ્વપ્ન દર્શનની ભૂમિકામાં તેમને નિદ્રાપ્રમાદ આવી ગયું હતું.) (કદાચ નિદ્રા આવી ગઈ હોય તે) ભગવાન જાગી જઈને ઊભા થઈ શયન સ્થાનથી બહાર જઈ રાતમાં મુદત પર્યત ચંક્રમણ કરતા અને પોતાના ધ્યાનમાં પુન: લાગી જતા. ૬ શયનસ્થાનમાં તેમને નાના પ્રકારના ભયંકર ઉપસર્ગો થયા છે. કારણ તેમાં વળી (સાપ જેવા પેટે ચાલનાર પ્રાણીઓ અને પક્ષી પણ આવીને રહેતાં અને કુચર == ચોર-લંપટ આદિ પણ તેવાં નિર્જન સ્થાનમાં આવીને રહેતા. ગ્રામ-રક્ષક અને હાથમાં ભાલા જેવાં શસ્ત્રો લઈને આવનાર પણ હતા. તથા ગ્રામિણ સ્ત્રી અને પુરુષે પણ ઉપસર્ગ આપતા હતા. ૭-૮. (આમાં મૂળમાં જે “ગામિયા શબ્દ છે તેને ચૂર્ણિકાર અર્થ કરે છે – ના વરવો. અથવા બીજો અર્થ છે – જાધvસમુરા' એટલે ઇન્દ્રિયધર્મોને અવલંબીને. એટલે કામીજનો–એવાં સ્ત્રી કે પુરુષો પણ ભગવાનને ઉપસર્ગ કરતા. સ્ત્રી હોય તો ભગવાનનું રૂપ જોઈ રક્ત થતી અને પુરુષો, આ વળી અમારી સ્ત્રીની અભિલાષાથી અહીં આવ્યા છે, એમ માની પીડા આપતા.) આ લે સંબંધી અને પરલેક સંબંધી નાના પ્રકારના ભયંકર ઉપસર્ગો ભગવાને રહ્યા છે અને સુગંધી અને દુર્ગધી અને નાના પ્રકારના શબ્દ સંબંધી પણ ઉપસર્ગો અને વળી ના પ્રકારના શરીરને પીડા કરનાર (પ ઉપસર્ગો પણ સમભાવથી સદેવ સહ્યા છે. પણ રતિ અને અરતિ–એ બનેને કહીને તે બ્રાહ્મણ હું બોલીને વિચરતા રહ્યા હતા. ૯-૧૦. (ટીકાકારને મતે હલૌકિક = મનુષાદિકૃત પીડા, અને પારલૌકિક = ઉપસર્ગજન્ય દુ:ખ અથવા તો ડિપ્રહારાદિ-જે આ જન્મમાં જ દુઃખદાયક છે તે ઇહલૌકિક અને તેથી વિપરીત એ પારલૌકિક અર્થાત તાત્પર્ય એવું જણાય છે કે અહીં જ જેથી શારીરિક આદિ પણ થાય છે તે ઈહિલૌકિક અને પીડાને જે સમભાવપૂર્વક સહવામાં ન આવે તે દ્વેષાદિ દોષોને કારણે તે પરલેકમાં પણ દુ:ખદ બને છે તેથી પારલૌકિક. ચૂર્ણિને મને કહલૌકિક એટલે મનુષ્યકૃત ઉપસર્ગો અને શેષ પારલૌકિક છે. અથવા તે પ્રતિલોમ ઉપસર્ગો જે પ્રહાર–આક્રોશ આદિરૂપ છે તે આ લોકમાં દુઃખ આપતા હોઈ દહલૌકિક અને જે પરલોકમાં દુખપાદક હોય તે પારલૌકિક = અનુલેમ ઉપસર્ગો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy