SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દ્મકથાકાળ ઘટના : કઠોર સાધના ૧૧૩ ચૂર્ણિમાં અહીં યથાકૃતની વ્યાખ્યા આપી છે–કોઈ નિમંત્રણ આપી કહે કે આજે અમારે ત્યાં ભજન કરે છે. હું તમારું ભોજન બનાવી રાખીશ, તે તે આહાકડ’ છે (ચૂર્ણિમાં ઠંડા ને બદલે “પ્રાદ” પાઠ છે) વળી કોઈ મનમાં જ સમજી લે કે તેમને આધાર આપે છે એટલે કે જ્યારે તેઓ પિતૃવનખંડમાં વિહાર કરતા હોય ત્યારે તેમને આપવાનો સંકલ્પ કરી આપે તે પણ તે થાકૃત છે. ‘વિકૃત’નો અર્થ ચૂર્ણિમાં છેan – a rang – અર્થાત નિજીવ ભોજન.). બીજના વસ્ત્રને ઉપયોગ કરતા નહિ અને બીજાના પાત્રમાં પણ ભોજન કરતા નહિ. અને જ્યારે બધા (ભજન લેનારા) સુખડી છોડીને ચાલ્યા જતા ત્યારે જ થોડું લેવાને અર્થે ત્યાં સંખડી વિના કોઈ પણ પૂર્વ મરણ વિના જતા હતા. ૧૯. (અહીં ચૂર્ણ જણાવે છે કે ભગવાન મહાવીરે દીક્ષા વખતે જે દિવ્ય વસ્ત્ર લીધું હતું તે ખંભે જ રાખ્યું હતું તેને એકયું ન હતું. અને એ વસ્ત્ર સિવાય બીજુ કે વસ્ત્ર તેમણે ધારણ કર્યું ન હતું. વળી અહીં કેઈની વ્યાખ્યા એવી છે કે દિવ્ય વસ્ત્ર એ તેમનું અને સેવ પારકું. પિતાનું વસ્ત્ર સ્વીકાર્યા છતાં વાપયુ નથી. સ્વપાત્ર એટલે મણિપાત્ર. એ સિવાયનાં પરપાત્ર સમજવાં. તેમાં એ ભોજન કરતા નહિ. અહીં વળી કઈ એવી વ્યાખ્યા કરે છે કે સપાત્ર ધર્મ ઉપદેશ તેમને દેવે માટે તેમણે પ્રથમ પારણે પરપાત્રમાં ભોજન કર્યું હતું. પણ પછીથી તેઓ પાણિપાત્ર બની ગયા. આમાં સમર્થન એમ છે કે એક વાર ગોસાલાએ “તંતુવાલા'માં ભગવાનને ( છસ્થાવસ્થાની આ વાત છે) કહ્યું હતું કે આપના માટે ભોજન લાવી આપું. પરંતુ આમાં ગૃહીના પાત્રના ઉપયોગ થાય એમ સમજીને ભગવાને તે લેવાની ના પાડી હતી અને જ્યારે તેમને કેવળ જ્ઞાન થયું ત્યારે તે લેહાર્ય તેમને લાવી આપતા. પોતે ભજન લેવા નીકળતા નહિ. કારણ કે દેવેન્દ્ર-ચક્રવતી આદિ ભગવાનના દર્શને આવતા. તેથી તેઓ ગોચરચર્યા કરતા નહિ પરંતુ છઘકાળમાં તે ગોચરી માટે નીકળતા જ હતા. અહીં દિગંબરની માન્યતા એવી છે કે કેવળી થયા પછી તેઓ આહાર કરતા જ નહિ–જુઓ કેવલિભુક્તિ પ્રકરણ–શાકટાયનકૃત. સંખડી એટલે આજે જેને આપણે ગોઠ સમૂહભોજન કહીએ છીએ તે છે. જૈન શ્રમણોને આમાં જવાનું જબરું આકર્ષણ પછીના કાળે થયું હશે એટલે સંખડી વિષેના ખાસ નિયમે કરવા પડ્યા છે અને તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે-બૃહત્કલ્પભાષ્ય ગા. ૩૧૩૯-૩૨૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy