________________
૧૧૨
મહાવીરચરિત મીમાંસા
“જ્ઞાની” શબ્દને શું અર્થ લે તે વિષે ખુલાસો છે કે શ્રુતજ્ઞાનને કારણે જ્ઞાની સમજવા. કારણ કે કર્મપુદ્ગલ એટલા બધા સૂક્ષ્મ છે કે તે અવધિજ્ઞાનને વિષય થઈ શકતા નથી અને મનઃ પર્યાય તે માત્ર મને દ્રવ્યને જાણે છે. આથી કમ વિષયક શ્રુતજ્ઞાન ભગવાનને સાધનાકાળે હતું એમ સમજવાનું છે.
ચૂર્ણિમાં ખુલાસો છે કે જેના વડે અર્થનું ગ્રહણ થાય છે તે આદાન છે.. આથી ઇન્દ્રિયો એ આદાનસ્ત્રોત એટલા માટે કહેવાય છે કે તેમના દ્વારા શબ્દાદિ, બાહ્ય અર્થનું ગ્રહણ થાય છે. અથવા તે પરાય-કષાય એ આદાન સ્ત્રોત છે. કારણ કર્મના આદાન-ગ્રહણમાં તે કારણ છે. કષાય હોય તે આત્મામાં કમબંધ થાય છે. અને અતિપાત-ત–એ હિંસા આદિ છે. કારણ પરિગ્રહ વધારવા માટે જીવ હિંસાદિ કરે છે. અતિપાત સ્ત્રોતને બીજો અર્થ છે ઈર્યાપથિકી ક્રિયા. બાહ્ય જીવવધ છતાં જેને કારણે કમબંધ થતો નથી, તે છર્યા પથિકી ક્રિયા કે કર્મ છે. આ ઇર્યાપથિકી ક્રિયાથી સંસાર પાર કરી જવાય છે.
ચણિમાં આ અથ'ની નોંધ લેવામાં આવી છે અને તે પ્રમાણે જ્ઞાનાદિ એ આદાનસ્ત્રોત છે અને અતિપાતસ્ત્રોત એ હિંસાદિ છે.
ગ ત્રણ છે-મન, વચન અને કાયની પ્રવૃત્તિ. આ પણ કર્મબંધમાં કારણ છે. ચણિમાં નોંધ છે કે કોઈને મતે જ્યારે ભગવાને બે વર્ષ દીક્ષા લેવાનું મે કયું હતું તે દરમિયાન સુપ, નંદિવર્ધન આદિ તેમને પૂછતા કે નાહાતા કેમ નથી ? ઠંડું પાણી કેમ પીતા નથી ? ભૂમિમાં શયન કરે છે અને સચિત્ત આહાર લેતા નથી, આમ કેમ ? સ્ત્રીઓને કેમ ત્યાગ કરે છે ? આના ઉત્તરમાં ભગવાન મહાવીર જે કહેતા તે આ ગાથાઓમાં “આ દાણ સતથી માંડીને –અદબુ’ સુધીનો અંશ છે–').
સર્વ પ્રકારે કર્મબંધ થાય છે એમ જોઈને તેઓ યથાકૃતનું સેવન કરતા નહિ. જે કાંઈ પાપ હોય તે ન કરતા હોઈ તેઓ વિકૃતનું ભોજન કરતા. ૧૮
(અહીં ટીકાકાર “અહાકડીને સંસ્કૃત શબ્દ યથાકૃત' મૂકે છે તે યોગ્ય છે. “આહાકશ્મ” શબ્દનું સંસ્કૃત રૂપ પણ “યથાકામ્ય’ થવું જોઈએ તે આ ઉપરથી. કહી શકાય છે.
કથા યેન ઘન છૂટ્ટા મg at 1 યથાત-આધારે ના સેવા” – પૃ. ૩૦૫. આમાં મહારનું તે સંસ્કૃત “યથાકૃત કર્યું પણ. મgyજન્મનું યથાકામ્ય ન કરતા “બાપા મૂક્યું તે એકવાર પ્રાકૃત શબ્દનું
ટું સંસ્કૃતીકરણ થઈ ગયું હોઈ તેનું અનુસરણ માત્ર છે. ૧, આ અર્થમાં આદાન’ શબ્દના પ્રયોગ માટે જુઓ સૂત્રકૃતાંગ ૧.૨. ૨૬-૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org