SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ છઘરથકાળની ઘટનાઓ : કઠોર સાધના ૧૦૫ આચાટ (૯૧)-ચર્યા : શ્રમણ ભગવાન (મહાવીર) જે પ્રકારે સમજીને ઊડ્યા અને તાજા જ દીક્ષિત થઈને હેમંત ઋતુમાં વિહાર કરવા લાગ્યા તે વિષે જે પ્રકારે મેં સાંભળ્યું છે તે કહીશ–(૧) હેમન્તમાં આ વસ્ત્રથી હું મારા શરીરને ઢાંકીશ નહિ– આ(પ્રતિજ્ઞામાં તેઓ યાજજીવન પાર ઉતર્યા. (વસ્ત્ર ખભે રાખ્યું) તે (વસ્ત્ર) માત્ર પરંપરાનું પાલન કરવા ખાતર હતું. (૨) પ્રાસંગિક છે કે અહીં સચેલ અચેલ વિષે થોડી ચર્ચા કરીએ. દિગબેરોમાં પરંપરા પ્રમાણે બધા જ તીર્થકર નગ્ન થઈ દીક્ષા લે છે. આમાં પણ નગ્ન થવાની વાત તે છે જ. પરંતુ એક વસ્ત્ર ખભા ઉપર રાખ્યું હતું-–આવી જે વાત કરવામાં આવી છે તે શ્વેતાંબર પરંપરાના સમર્થન માટે હોય તેમ જણાય છે. આચારાંગ શૂર્ણિમાં આ બાબતમાં જણાવ્યું છે કે બધા જ તીર્થકરો એક વસ્ત્ર સાથે દીક્ષા લે–આ પરંપરાનું અનુસરણ કરવા ખાતર જ ભ, મહાવીરે પણ ખભે વસ્ત્ર રાખ્યું હતું. આના સમર્થનમાં તેમાં નીચેનું ઉદ્ધરણ છે. अहवा रित्याराण अय अणुकाटधम्मो-से बेनि जे य अतीता जे य पडुपणा जे य आगमिस्मा अरहता भगवंतो जे व पचाया जे य पञ्चायति जे य पवइस्संति सव्वे सोबहिगो धम्नो देखियो तिबट्ट रित्यच्चयाए एा अणुप्रियत्ति एगं देव दूसमादाय पवई सु वा पत्र इति का कबइति वा, भणिय च-- गरीयस्त्वात् सचेरस्य धर्मस्यान्यैस्तथागतैः ।। શિષ્યરચવા વસ્ત્ર ટ ને ૨ના || આચાચૂપૃ૨૯૯ ચૂર્ણિની આ વાતનું મૂળ અવશ્યકનિયુક્તિ જેટલું જૂનું જણાય છે– "मवेवि एग दूसेण णिमाता जिणवरा चतुबींस्सा । ण य णाम अण्णलिंगेण णा गिहिलिंगे कुलिंगेवीरा ॥ આવનિ. ૨૦૬; વિશેષા. ૧૬૪૪ ૧. માગસર વદ દશમને રોજ–ાણિરવટામીu– આચા ચૂપૃ૦૨૯૮ ૨. અહીં એ ધ્યાનમાં લેવા જેવું છે કે અંગુત્તર નિકાય (૬.૬.૪)માં નિng g% સોજા” કહી નિયને એક વસ્ત્રવાળા વર્ણવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy