________________
છદ્મસ્થકાળની ઘટનાએ ઃ કઠાર સાધના
આ પૂર્વે બ્રાહ્મણને વસ્ત્રદાનની ચર્ચા થઈ ચૂકી છે. તે સિવાયની જે ધટનાએ છે તેમાં અનેક સ્થાનેએ દેવા આવીને ભગવાનની સ્તુતિ કરે છે એ તો સ્પષ્ટ રીતે ભગવાનની અલૌકિકતા અને તેમના દેવાધિદેવપણાને સાબિત કરવાની પ્રક્રિયામાંથી ઉદ્ભવી છે. એટલે એ વિષે વિશેષ ચર્ચા કરવાનો કાંઈ અર્થ નથી. પણ તેમને જે કષ્ટો પાડ્યાં અને તેમણે જે ઉપસર્વાં સહન કર્યા તેમાંથી અતિર ંજન બાદ કરીએ તે પણ એવી કેટલીક ધટનાઓ છે જેના ઉલ્લેખ કરવા જરૂરી છે. એ ઘટનાના ઉલ્લેખ કે તેની ચર્ચા કરતાં પહેલાં ભગવાન મહાવીરના સાધના કાળનું જે ચિત્ર આચારાંગના પ્રથમ શ્રુતસ્ક ંધમાં નવમાં ઉપધાન શ્રુતનામના અધ્યયનમાં છે તેને સાર આપવે! જરૂરી છે. કારણ તેમાં કોઈ અતિર ંજના તે અવકાશ મળ્યો નથી અને તે વાચકને અત્યત સ્વાભાવિક લાગે તેવું છે અને પ્રાચીનતમ ઉપરાંત યથાર્થતાની છાપ પણ તેમાં છે.
આ અધ્યયનનું નામ ‘ઉહાસુય' છે એટલે કે ભગવાન મહાવીરની તપસ્યા વિષે આમાં વર્ષોંન છે. નિયુક્તિમાં જણાવ્યુ` છે કે બધા જ તીથ કરા પોતાની તપસ્યા વર્ણવે છે (૨૭૬) એથી ભ. મહાવીરની તપસ્યાનુ વર્ષોંન પણ જરૂરી બને છે. અહીં ભગવાન પોતે પોતાની તપસ્યા વર્ણવતા હાય એમ નથી. પણ કાઈ કે ભગવાને કેવી તપસ્યા કરી હતી તેનું વર્ણન કર્યુ છે. એટલું નક્કી કે વર્ષોંન કરનાર એ સ્પષ્ટીકરણ કરે જ છે કે મે તે વિષે જે સાંભળ્યું છે તે કહીશ. આથી સ`ભવ છે કે સ્વય' ભગવાન પાસેથી સાંભળાને વર્ણન કરવામાં આવ્યું છે-એવી માન્યતા નિયુ^ક્તિકારની હોય નિયુક્તિકાર એક બીજું પણ સ્પષ્ટીકરણ કરે છે કે અન્ય તીથંકરાને પોતાની તપસ્યાના કાળમાં કાઈ ઉપસગ થયા ન હતા પરંતુ કેવલ ભ. મહાવીર વમાનને તે કાળમાં ઉપસર્ગા થયા હતા (૨૭૭). વળી ભગવાનને ચાર જ્ઞાન હતાં અને મુક્તિ તે નક્કી જ હતી છતાં પણ પોતાની શક્તિનું ગૈાપન કર્યા વિના જ ભગવાને તપાનુષ્ઠાન કર્યુ હતું. તે તેમનું અનુકરણ બીજા મનુષ્ય પણ બાધા છતાં શુંન કરે ? કરે જ. (૨૭૮-૭૯)
1. ચૂર્ણિ`–અનુસાર સુધમાં જ ખૂને આ સંભળાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org