SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા પછીને અભિગ્રહ દીક્ષા લીધા પછી ભ. મહાવીરે અભિગ્રહ કર્યો કે હવે પછી જે કાંઈ ઉપસર્ગો થશે તે બધા સમુચિત પ્રકારે સહન કરીશ—એ ઉલ્લેખ આચારાંગમાં છે.' અને એમ પણ જણાવ્યું છે કે પછી જે કાંઈ ઉપસર્ગો થયા તે સૌ તેમણે સહ્યા. પરંતુ કલ્પસૂત્રમાં ઉપસર્ગો સહન કર્યાનો ઉલ્લેખ છે. અભિગ્રહ કર્યાને ઉલ્લેખ નથી-(સૂ૦ ૧૧૬) વળી આવશ્યક ચૂર્ણિમાં પણ આવા અભિગ્રહને ઉલ્લેખ નથી, તે સૂચવે છે કે આ પ્રકારના અભિગ્રહની ચર્ચા પછીથી દાખલ થઈ છે. વિશેષાવશ્યકમાં તે “સર્વ પાપના અકરણની પ્રતિજ્ઞાને જ “અભિગ્રહ’ સંજ્ઞા આપી છેગા. ૧૮૯૦. તે પણ સૂચક છે. દીક્ષા પ્રસંગે આવશ્યકચૂર્ણિમાં ભગવાન મહાવીરના દેહનું અને સ્વભાવનું વર્ણન આલંકારિકેની ભાષામાં બહુ સુંદર રીતે કર્યું છે. તેમાંથી કેટલાંક વિશેષણો અહીં આપવામાં આવે છે– ___ समणे भगवौं महावीरे वेसालिए दक्खे पडिन्ने पडिरूवे अल्लीणे भद्दए विषीए जाते णातपुत्ते णातकुलविणिवढे बिदेहे विदेहदिन्ने विदेहजच्चे विदेहसूमाले सत्तुस्से हे समचउरंस संटाणसीटते वज्जरिसभनागयसंघयणे अणुलोम वायुवेगे काठगहणी कवोय परिणामे सोणिपोसपिट्टतपरिणते पउमुप्पलगंधसरीसणीसास सुरमिवयणे छवीणिरातंकउत्तम पसत्यअंकी सेसणिरुपमाणू जल्लमलव लंकसेयरयदोस वज्जियसरीरे णिरूवलेवे... सारयणवधषितमधुरंगंभीरकोचनिग्घोस् दुंदुभिस्सरे ... चतुरंगुलसुप्पमाणवरकंबुसरिसगीवे...रत्त तलोवयितमउयमंसलपसत्थलक्खणसुजात अछिद्दजालपाणी... कणगतिलातलुज्जलपसत्थसमतलउचितसिरियच्छरयितवच्छे ... अट्टसहस्सपडिपुन्नवरपुरिसलक्खणधरे... पसत्थवरतुरगसुजातगुज्झदेसे ... हुतवहनिमजलिततडितडियतरुणरविकिरणसरिसतेए ...सूरे वीरेविकते પુfહરિ પુરસદે પુસિવપુeણ પુસિવાથી ... આવશ્વ ૨૬૨-૪ આમાં ધ્યાન દેવા જેવી જે વાતો છે તેને નિર્દેશ જરૂરી છે. અહીં ભગવાનને વૈશાલિક કહ્યા છે. એટલે તેમનું નિવાસસ્થાન જે કુણ્ડપુર છે (આવા ચૂ૦ ૨૬ ૫) તેને સંબંધ વૈશાલી નગરીથી હોવો જરૂરી છે. આથી આધુનિકકાળે ક્ષત્રિયકુણ્ડપુર જે રાજગૃહ-નાલંદા–પાવા પાસે માનવામાં આવે છે તે હોઈ શકે નહિ તે નક્કી થાય છે. વળી અહીં તેમને વિ' ઇત્યાદિ જે વિશેષણો દીધાં છે તે તેમની માતા ત્રિશલા વિદેહદેશનાં હતાં તે કારણે છે. ૧. પૃ૦ ૪૨૪ ૨. આવચૂમાં આ રથળ માટે જે ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે ઉત્તિર ફુગામે નારે (૨ 3) વવું? ” (-૨૪૦), કુંકપુરે નારે' (૨૪૩) લુપુર (૨૪૪), કુડાને રે (૨૦) ગામે” (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy