SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાપૂર્વે પરિત્યાગ આવશ્યકનિયુક્તિમાં મહાવીરચરિત વર્ણના માટેનાં દ્વારામાં એક ‘દાન’ દ્વાર છે (આ૰નિ૦ ૩૪૧ = વિશે॰ ૧૮૨૨) માતા-પિતાના મૃત્યુ પછી ત્રીશવષ ની વયે દીક્ષિત થવાના હતા તે પૂર્વે ભ. મહાવીરે પોતાની સ`પત્તિનુ દાન દીધું. અહી આ॰ હરિભદ્રે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે સખાધન અને દાન દ્વારમાં પ્રથમ કયું સમજવું? કારણ ઋષભચરિતના અધિકારની જે આ॰નિ (૧૯૯ = વિશે ૧૬૩૭) ગાથા છે તેમાં પ્રથમ સખાધન (દેવા દ્વારા ઉદ્બોધન) અને પછી પરિત્યાગ = દાનની ચર્ચા છે. અને મહાવીરચરિતનાં દ્વારામાં દાન પછી સખાધન છે (આ નિ॰ગા૦ ૩૪૧ = વિશે૰૧૮૨૨) આને ઉત્તર આ. હરિભદ્રે આપ્યા છે કે બધા જ તીર્થંકરા માટે એવા કોઈ સામાન્ય નિયમ નથી કે સખેાધન પછી જ દાનની પ્રવૃત્તિ થાય. અન્યથા આનિ કારે આવા વ્યત્યય કર્યા જ ન હોત. અને ધારો કે એવા કોઈ નિયમ હોય તો પણ દાન વિષે વક્તવ્ય વધારે હાઈ અહીં મહાવીરચરિતમાં આવશ્યક નિયુ`ક્તિકારે દાનની ચર્ચા પ્રથમ કરવી ઉચિત માની છે. આરિભદ્રે આમ ખુલાસો તે કર્યાં છે પણ ખરી વાત એવી છે કે એ દ્વારાની વ્યવસ્થા જ સ્થિર ખતી ન હતી એટલે ક્રમમાં વ્યત્યય સ‘ભવ બન્યા છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે આ સબોધન દ્વાર જ પછી દાખલ થયું હશે. કારણ ચરિતને લૌકિકમાંથી અલૌકિક બનાવવામાં જ સખાધન દ્વારને અવકાશ મળે છે. અને જ્યારે પ્રવ્રજ્યા લેવાની ઇચ્છા થાય ત્યારે પરિત્યાગ સ્વાભાવિક છે. પરંતુ પ્રવજ્યાની ઇચ્છામાં દેવા દ્વારા ઉદ્માધન કાંઈ તેનુ આવશ્યક અંગ નથી. બુદ્ધના ચરિતમાં પણ આવી દેવા દ્વારા ઉદ્યોધનની વાત દાખલ થઈ છે તે જૈનોમાં પણ તે કાળમાં એ ખાખતમાં પ્રવૃત્તિ થાય—એ સ્વાભાવિક હતું. એટલે સબધનને દાન પૂર્વે મૂકવુ કે પછી એની વ્યવસ્થા આચાયે વિચારી ન હતી. તેથી જ એક ઠેકાણે પ્રથમ અને બીજે ઠેકાણે દ્વિતીય સ્થાન પામ્યું હોય એમ માનીએ તેા ઉચિત થશે.૧ વિશેષાવશ્યકમાં દાનપ્રસ`ગ આમ છે દાન દેવાની પ્રક્રિયા પ્રતિદિન પૂર્વાણ્ડમાં દીક્ષાપૂર્વ એક વર્ષ સુધી ચાલુ રહી. અને તે એવી રીતે કે પ્રાત: ભાજનના સમય સુધી દાન કરવામાં આવતું. ૧. ગુથચન્દ્રના મહાવીર ચરિયમાં પ્રથમ દાન અને પછી સમાધનના પ્રસંગ છે– પ્રસ્તાવ ચેાથે. પૃ. ૧૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy