________________
કલિકાલસર્વજ્ઞ
૭૩
વાલ્મટ્ટને આપણે પાટણ તત્કાલ પહોંચવાનું છે.” નો સિદ્ધરાજે હુકમ કર્યો.
મહારાજ... ચિંતા ન કરશો બધું જ થઈ રહેશે.”
આજે ભરસભામાં માતૃભાષાનો – ગુજરાતી ભાષાની ચર્ચા ચાલી રહી હતી એનો સિદ્ધરાજને આનંદ હતો.
આચાર્યશ્રી !' બોલો, મહારાજ...” ભાષાનું ગૌરવ વધારવા શું કરવું જોઈએ ?” સિદ્ધરાજે સવાલ કર્યો.
ગુજરાતી ભાષામાં જ શિક્ષણ આપવાનું સૌથી પહેલું કામ આપણે કરવાનું રહેશે. આજે આપણી ભાષા અધકચરી પ્રાકૃતભાષા છે.”
‘આચાર્યશ્રી...'
ભાષાનું ગૌરવ... ભાષાનું હિત.. જગતને આંગણે વધારી શકીશું તો જ ગુજરાતની અસ્મિતા મહારાજ આપ જેવા સમર્થ ગુજરશ્વર દ્વારા સંસ્કારિતા, જ્ઞાન, શૌર્ય અને સમજણના પાયા પર જ ઝળહળી ઊઠશે.” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા.
રાજસભાના સદસ્યો વચ્ચે ભાષા પરની ચર્ચા ખૂબ જ મુદ્દાસરની થઈ તો રહી હતી પરંતુ એનો નિષ્કર્ષ કેટલો? એ સવાલ પણ પટ્ટણીઓ અને ગુર્જરભાષી સદસ્યોને થઈ રહ્યો હતો.
આચાર્યશ્રી મારું એક સ્વપ્ન છે.” મહારાજ બોલ્યા.
સ્વપ્નો હોવાં, સ્વપ્નો સેવવાં એ જ તો માનવજાતની સંસ્કારિતાની પારાશીશી છે... મહારાજ, આપના સ્વપ્નની વાત કરો...”
ધારાનગરી – ઉર્જન – અવંતી જેવી રાજસભાઓ વિદ્વાનોની વાણીથી ગુંજતી હોય. રાત-દિવસ જ્ઞાનચર્ચાઓ ચાલતી હોય, અહિંસા, પરમોધર્મના પડાવો નંખાયા હોય... પાટણની જ શા માટે, સમગ્ર ગુજરાતના ગામે ગામ પાઠશાળાઓ, અભ્યાસ શિબિરો, લેખન શિબિરો, મનન મંડળો ઊભા થાય અને બધા જ વિદ્યાનુરાગી બને. પાટણની – ગુજરાતની ભોમકા પર શિક્ષણનો, સંસ્કારિતાનો સૂર્યોદય થાય, તેવું મારું સ્વપ્ન સાકાર આપ જેવા .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org