________________
૭૪
કલિકાલસર્વજ્ઞ
વિદ્વાનો જ કરી શકશો...” સિદ્ધરાજે વિષયના મુખ્ય મુદ્દા પર આવતાં કહ્યું.
હા મહારાજ. આપના હાથે શિક્ષણ, સંસ્કાર અને સાહિત્યના મહાયજ્ઞનું આયોજન ન થાય ?' મહાઅમાત્ય મુંજાલ બોલી ઊઠ્યા.
મહારાજ.” ઉદયન મંત્રીએ ચર્ચામાં ઝંપલાવ્યું. બોલો મંત્રીશ્વર.” સિદ્ધરાજ બોલ્યા.
અરે હાં મંત્રીશ્વર, મારે પણ કશુંક કહેવાનું છે. મહાઅમાત્યશ્રી, ગુજરશ્વરોની જ્ઞાનોપાસના ઓછી નથી. આપણી પાસે પણ સોમનાથના ભાવબૃહસ્પતિ, ભૃગુકચ્છથી પધારેલા આચાર્ય દેવબોધ, ગુર્જરેશ્વરો જ્યારે જ્યારે રણે ચઢે છે ત્યારે મા કનકેશ્વરીના આશીર્વાદ સાથે રણે ચડે છે – એના પૂજારી ભવાની રાશિ, સ્તંભતીર્થના અમારા ગુરુ દેવચન્દ્રસૂરિજી – જેવા વિદ્વાનો આપણી વચ્ચે છે ત્યારે મારા મનમાં પણ એક સ્વપ્ન હિલોળા લઈ રહ્યું છે. મહારાજ.” હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજ સામે આંખો માંડતા બોલ્યા.
મહારાજ.. આચાર્યશ્રીની સ્વપ્નિલ આંખોમાં રમતા સોણલાને હું પારખી ગયો છું મહારાજ, એ સોણલું ફક્ત એક જૈનમુનિનું નથી, એ સોણલું કોંકણથી કાન્યકુબ્ધ અને પાટણથી અવંતી સુધી પથરાયેલા મહારાજ સિદ્ધરાજનું – એની ગરવી ગૂર્જર પ્રજાનું સ્વપ્ન છે મહારાજ..” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા.
એ સોણલું એટલે ગરવી ગુજરાતના ખૂણે ખૂણે જ્ઞાનનો પ્રકાશ પાથરવો... ગામડે ગામડે, કસબે કસબ, ભાષાનું મહત્ત્વ અને માહાસ્યની સમજણ આપવી... બરોબર છે ને આચાર્યશ્રી મહાઅમાત્ય મુંજાલ બોલી ઊઠ્યા.
મહારાજ” હેમચન્દ્રાચાર્યજી બોલ્યા. બોલો ગુરુદેવ.”
મહારાજ, ગુજરાતની અસ્મિતાને અજવાળતા જ્ઞાનગ્રંથોથી– પૌરાણિક કાળથી પ્રસિદ્ધ એવી આ પાટણ નગરીના ગ્રંથાલયો આપણે આપણી ભાષાના ગૌરવવંતા ગ્રંથોથી છલકાવી દઈએ. અને આ કાર્ય માટે મારી સમગ્ર શક્તિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org