________________
કલિકાલસર્વજ્ઞ
ગુજરાતીનું મૂલ્ય જગતના ચોતરે કેટલું? આપણી પાસે આપણી કહેવાતી એવી માતૃભાષા કે વ્યાકરણ છે ખરા ?’ હેમચન્દ્રાચાર્યે વેધક પ્રશ્ન સભાસદો સમક્ષ મૂક્યો.
રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. સૌ કોઈ વિચારમાં પડી ગયાં.
ગુજરશ્વર ખુદ વિમાસણમાં મુકાઈ ગયા. માલવદેશ પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ અવંતી અને ઉજ્જૈનના ગ્રંથાગારોની મુલાકાતે ગયો, ત્યારે એના મનમાં – ભાષા માટે, વ્યાકરણ માટે – ગુર્જર સાહિત્ય માટે ગુજરાતમાં કેટલું કામ થઈ રહ્યું હશે, એની કોઈ સીધી અસર ક્યાંય નજરે પડતી નહોતી... ગ્રંથાગારની લટાર મારતા રાજા સિદ્ધરાજે ગુજરાતી ભાષા માટે શું અને કેટલું કામ થઈ રહ્યું છે અને માળવામાં ગુર્જરભાષાનું સ્થાન ક્યાં એની તપાસ કરતાં ગ્રંથપાલને પૂછ્યું તો જવાબ મળ્યો...
મહારાજ... આ ભંડારમાં તો રાજા ભોજે બનાવેલું એક અદ્ભુત વ્યાકરણશાસ્ત્ર. ભોજવ્યાકરણ' રૂપે દેશભરની પાઠશાળાઓમાં આજ વ્યાકરણ ભણાવવામાં આવે છે, એટલું જ નહીં પણ માલવાપર વિજય પ્રાપ્ત કરનારા સિદ્ધરાજ જયસિંહના પાટણનગરમાં આજ પણ ભોજવ્યાકરણ” ગ્રંથ જ ભણાવવામાં આવે છે. ગુર્જરભેર ગ્રંથપાલનો જવાબ સાંભળી ઠંડાગાર થઈ ગયા.
મહેતા આજ્ઞા મહારાજ..'
ગ્રંથાગારનો આખોય ભંડાર આજ સુધીના તમામ પુસ્તકો સાથે પાટણની પાઠશાળાઓમાં પહોંચી જાય.’
જેવી આજ્ઞા....'
અને એ જ વખતે ભયાનક વંટોળ સર્જાયો... આ વંટોળ સિદ્ધરાજ જયસિંહના હૃદયમાં એવા જોરથી ફૂંકાયો કે ઘડીભર તો યુવા સિદ્ધરાજ પણ ખળભળી ઊઠ્યો.
એણે મુકામ પર આવી, મહાઅમાત્ય મુંજાલ, ઉદયન મંત્રી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org