________________
કલિકાલસર્વજ્ઞ
હેમચન્દ્રાચાર્યનું માલવવિજય ઉત્સવ પ્રસંગે હાર્દિક સ્વાગત છે. એમના વિદ્વાન શિષ્યો રામચન્દ્રસૂરિજી અને બાલચન્દ્રસૂરિનું પણ સ્વાગત છે....”
કવિ શ્રીપાલનાં વચનો સાંભળી સમસ્ત સભાગૃહના સદસ્યોએ હેમચંદ્રાચાર્યજી મહારાજનો જયઘોષ બોલાવ્યો.
સિદ્ધરાજ જયસિંહે સિંહાસન પરથી ઊભા થઈ હેમચન્દ્રાચાર્યને વંદન કરતાં “જ્ઞાનનિષ્ઠ, ધર્મપરાયણ, અહિંસાભૂષણ, મહાતપસ્વી શ્રી હેમચન્દ્રાચાર્યજી ગુજરાતનું પાટનગર અણહિલવાડ પાટણના રાજ્યદરબારમાં આપનું હાર્દિક સ્વાગત છે.' નો જયઘોષ કર્યો.
હેમચન્દ્રાચાર્યજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક નજર ગુજરાતના મહાઅમાત્ય મુંજાલ પર નાંખી. ચહેરા પર રહસ્યમય સ્મિત છલકતું હતું. ઉદયન મંત્રી પણ મહાઅમાત્યના સ્મિત જેવું જ સ્મિત ચહેરા પર ઊપસાવી રહ્યા હતા.
હેમચન્દ્રાચાર્યે... ગુજરશ્વરને ઊભા થઈને આશીર્વાદ આપતો શ્લોક રાજસભામાં વહેતો મૂક્યો.
હે કામદુગ્ધા ગાય ! તું તારા ગોમયરસથી, પૃથ્વીનું સિંચન કર, હે રત્નાકર તમે મોતીના પવિત્ર સાથિયા પૂરો, હે ચન્દ્ર તું જળથી ભરેલા પૂર્ણકુંભ જેવો થા ! હે દિગ્ગજો ! તમે કલ્પવૃક્ષના પત્રનાં તોરણો બાંધો, કારણ કે મહારાજ સિદ્ધરાજ જયસિંહ, આ પૃથ્વી પટે દિગ્વિજય
કરીને પધારી રહ્યા છે માટે માંગલિક પ્રગટ કરો...”
રાજસભામાં સિદ્ધરાજ જયસિંહનો જયઘોષ ગાજી ઊઠ્યો. ગૂજરશ્વરે સિંહાસન પરથી ઊભા થઈ હેમચન્દ્રાચાર્યજીને વંદન કર્યા.
મહારાજ શાતામાં તો છો ને ?? હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો.
તન વિજયનો આનંદ અનુભવે છે. પરંતુ મન... આચાર્યશ્રી સિદ્ધરાજ આગળ ન બોલી શક્યો – ચહેરા પર વિષાદની કાલિમા પ્રસરી ગઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org