________________
કિલિકાલસર્વજ્ઞા
૬૫
યાદ આ અવસરને ટાણે ક્યાંથી આવી?” હેમચન્દ્રાચાર્ય મહારાજ સિદ્ધરાજ જયસિંહ પર દૃષ્ટિ ઠેરવતા બોલ્યા.
એ જ વખતે સિદ્ધરાજ જયસિંહ મહારાજ અંબાડી પરથી નીચે ઊતરી રહ્યા હતા.
‘ગુરુદેવ, મહારાજ આજે માલવવિજયની વધામણીના પ્રસંગે આપશ્રીના આશીર્વાદ લેવા અહીં પધારવા માંગે છે. ધર્મલાભની અપેક્ષા રાખે છે.”
જરૂર હું ધર્મલાભ આપીશ.... આપણે ચાલીશું? હેમચન્દ્રાચાર્યબોલ્યા.
પરંતુ એટલામાં ગુજરશ્વર સ્વર્ય મહારાજશ્રી પાસે અડવાણે પગે આવીને વંદન કરવા નીચા નમ્યા. હેમચન્દ્રાચાર્યજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ, અવંતીનાથ જેવાં નામોથી સમગ્ર ભારતમાં એના શૌર્ય, શીલ અને શાલીનતા માટે પ્રખ્યાત એવા મહારાજ સિદ્ધરાજ જયસિંહ સ્તંભતીર્થના એક અદના સાધુને પગે લાગવા – સામે ચાલીને એની પાસે આવીને ઊભા રહી ગયા હતા. હેમચન્દ્રાચાર્યજીએ આનંદવિભોર થઈ પગે લાગવા નીચા નમેલા મહારાજાનેઃ “વિજયી ભવ... આજના વિજયોત્સવના દિવસે માંગલિક ઉચ્ચારતા આ સાધુ આપને આશીર્વચનથી નવાજે છે...'
कारय प्रसरं सिध्य हस्तिराजमशङिकतम् ।
त्रस्यन्तु दिग्गजाः किं तैर्तृत्वयैबोध्यता यतेः ॥ હે રાજા સિદ્ધરાજ તમારા હાથીને નિરંકુશ આગળ વધવા દો, એનાથી દિગ્ગજો ભયભીત થાય તો ભલે થાય, કારણ કે ભૂમિનો ભાર તો તમે જ વહન કરો છો.
મહારાજ, આજની રાજસભામાં આપ હાજરી આપો એવી અમારી વિનંતી છે... આપની હાજરીથી રાજ્યસભાનું માન અને ગૌરવ વધશે....” મહારાજાની સાથે આવેલા મહાઅમાત્ય મુંજાલે વંદના કરતાં હેમચન્દ્રાચાર્યજીને વિજયોત્સવની ઉજવણીમાં હાજરી આપવાનું નિમંત્રણ આપ્યું
“જરૂર મહાઅમાત્યશ્રી આપ મહારાજશ્રીની શોભાયાત્રા આગળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org