________________
૬૪
કલિકાલસર્વજ્ઞ
દેખાતો હતો અને શાંત સ્નિગ્ધ ચહેરા પર વિજયના આનંદ સાથે વિષાદપૂર્ણ ગાંભીર્ય પણ દેખાતું હતું. જયઘોષના ઘોંઘાટ વચ્ચે ગજરાજ પર બેઠેલા સિદ્ધરાજ જયસિંહની નજર ચારે દિશામાં ફરી રહી હતી. ઓચિંતી આંખો એક ખૂણામાં સ્થિર થઈ ગઈ. એક દુકાનના ઓટલા પર ત્રણ જૈનસાધુઓ. ઊભા હતા. એમાં એક સાધુનો ચહેરો પરિચિત લાગ્યો... આમેય એ સાધુના ચહેરા પર અનોખું તેજ લહેરાતું હતું. આંખોમાં કરુણાનો સાગર ઊછળતો હતો. અને હૈયું ઊછળીને બોલી ઊઠ્યું.
“અરે આ તો દેવચન્દ્રસૂરિના એક જમાનાના શિષ્ય સોમચન્દ્રમુનિ, અને એથી પણ આગળ, સ્મૃતિપટ પર સ્તભંતીર્થના મહારાજના અપાસરામાં - મહારાજના આસન પર બેસી જુસ્સાદાર ભાષામાં એને ધર્મલાભ આપતો એની જ ઉંમરનો ચાંગ... આ ચાંગ... સોમચન્દ્રને અક્ષયતૃતિયાના દિવસે ગુરુદેવે કંથા ઓઢાડી એનું આચાર્યપદ આપી હેમચન્દ્રાચાર્યના નામે જે જગતના મેદાનમાં એક ધર્માચાર્યરૂપે રમતો કર્યો હતો એ જ તો નહીં ને ?”
સિદ્ધરાજે એક ક્ષણ પૂરતું અંબાડીમાંથી પાયદળમાં એના ગજરાજની પડખે ચાલતા સૈનિકને આંખના ઇશારે નજીક બોલાવી – મહાવત દ્વારા એક ટૂંકો સંદેશો પહોંચાડ્યો. સંદેશામાં લખ્યું હતું કે – દુકાનના ઓટલા પર ઊભેલા ત્રણેય ભગવન્તોમાંના હેમચન્દ્રાચાર્યજીને મહારાજ જ્યસિંહ વંદના કરવા માંગે છે... અને મહારાજ એ માટે આવી રહ્યા છે. સૈનિક ઝડપથી દુકાનના ઓટલા પાસે પહોંચી ગયો. અને વંદન કરતો ગજરાજ પર બેઠેલા મહારાજા સિદ્ધરાજ તરફ અંગુલિનિર્દેષ કરતો બોલ્યો : મહારાજ. અવિનય થાય તો ક્ષમા, પરંતુ આપ જ આચાર્ય દેવચન્દ્રસૂરિના વિદ્વાન શિષ્ય સૂરિ હેમચન્દ્રાચાર્યજી તો નહીં ? '
“હા.... હું જ જિનશાસનનો અદનો સાધુ હેમચન્દ્ર
- “ધન્ય થયો મુનિશ્રેષ્ઠ, આપના ચરણમાં મહારાજશ્રીની આજ્ઞાનુસાર એક સંદેશો રજૂ કરવા માંગું છું.'
જરૂર વત્સ. મહારાજશ્રીને આ સંસારે વિરક્ત એવા આ સાધુની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org