________________
૬૨
કલિકાલસર્વજ્ઞ
માંહ્યલામાં પડેલી હિંસકવૃત્તિને બહેકાવતું એક મોટું કલંક છે...' હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા. એને ગુરુદેવ પર આવેલા સિદ્ધરાજ જયસિંહનો સંદેશપત્ર યાદ આવ્યો... હેમચન્દ્રાચાર્યને હૈયે એક શાતા હતી, આનંદ હતો કે, પાટણનરેશ – માલવનરેશ બન્યા હોવા છતાં એના હૈયામાં વિજયનો આનંદ કે વિજ્યનો કેફ નહોતો. અવંતી અને ઉજ્જૈનની સાંસ્કૃતિક પરંપરા, વિદ્યા અને જ્ઞાનની બંધાયેલી ઠેર ઠેર પરબો અને વિશાળ ગ્રંથાગારોમાં ગ્રંથોરૂપે સચવાયેલી... સરસ્વતીની એણે સરાહના કરતાં આ સંસ્કૃતિ, આ સંસ્કાર, આવા ગ્રંથો અને ગ્રંથાગારો સર્જકો અને કલાકારોથી ગુજરાતની ભૂમિ પણ કેમ એની એક આગવી વિશિષ્ટ પરંપરા ન સર્જે એવો વિચાર લઈને માલવવિજેતા ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ પાટણ એની વિજયીસેના સાથે પાછા ફરી રહ્યા હતા.
પટ્ટણીઓના આ વિજયોત્સવના ઉન્માદને વિદ્યોત્સવના ઉલ્લાસમાં કેમ ન પલટી શકાય ?
હેમચન્દ્રાચાર્યજી કશુંક આવું વિચારી રહ્યા હતા, ત્યાં તો... ‘અરે ગુરુદેવ..... આ પટ્ટણીઓ તો ઉદયન મંત્રીની નિગેહબાની નીચે આપની તરફ આવી રહ્યા છે ને શું.' હેમચન્દ્રાચાર્યજીના બીજા શિષ્ય બાલચન્દ્રસૂરિજી બોલી ઊઠ્યા.
હા ગુરુદેવ... આખોય જનપ્રવાહ આપણી તરફ વળી રહ્યો છે ને શું ?” રામચન્દ્રસૂરિ પણ ધ્વજ-પતાકા, ઢોલ ત્રાંસા વગાડતા.... ગુર્જરસંસ્કૃતિના મહાન ઉપાસક હેમચન્દ્રાચાર્યજીનો જય..... જ્ઞાનર્ષિ પંડિત હેમચન્દ્રાચાર્યજીનો જય...
હેમચન્દ્રાચાર્યજીના આશ્ચર્યનો પાર નહોતો... સરસ્વતી નદીના વહેતા જલપ્રવાહ સામે નજર નાંખતાં ગદિત અવાજે બોલી ઊઠ્યા. ‘અરે રામચન્દ્ર... આ તો... આપણું સ્વાગત કરવા ઉદ્દયન મંત્રીશ્વર પટ્ટણીઓના જનસમુદાય સાથે આવી રહ્યા છે ને શું ? આપણા આ પ્રસ્થાનની વાત ગુરુદેવે ઉદયન મંત્રીને કરી લાગે છે કે શું ?' હેમચન્દ્રાચાર્ય
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International