________________
કલિકાલસર્વજ્ઞ
૬૧
વિચારો જનસમાજ પાસે રજૂ કરતાં ધર્મક્ષેત્રે જનજાગૃતિનું અભિયાન આદરવાનું મહાન કાર્ય કરતાં કરતાં એક સવારે પાટણના પાદરમાં પહોંચ્યા... ત્યારે નગરવાસીઓનો માનવસમુદ્ર – સરસ્વતીના તટે ઊમટ્યો હતો.... હેમચન્દ્રાચાર્યજીએ વિષાદ અનુભવતા એના શિષ્ય રામચન્દ્રસૂરિને કહ્યું : ‘વત્સ, ‘માલવવિજય’નો આનંદોત્સવ પાટણની પ્રજા કેવો ઉમળકાથી ઊજવી રહી છે ?'
ગુરુદેવ બાર બાર વર્ષના ભીષણ યુદ્ધ પછી મહારાજ જયસિંહે મેળવેલો મોંઘેરો વિજય છે ને ?'
વત્સ... પાટણના નગરજનોનો આ ‘નરસમુદ્ર' નિહાળી મારા હૃદયમાં આ નગરની ખુમારી ને ખુદ્દારી માટે માન થાય છે. આ પટ્ટણીઓ માટે કહેવાયું છે ને કે ત્રણ વસ્તુ માટે અહીંના નગરજનો હંમેશાં અભિમાનમાં રાચતા રહ્યા છે.’
‘કઈ ત્રણ વસ્તુ ગુરુદેવ....' જિજ્ઞાસુ શિષ્યે પૂછ્યું.
ગુજરાતનું વિવેક, એમના રાજાનું સિદ્ધચક્રત્વ અને પાટણનું નજરે પડતું આ નરસમુદ્રત્વ. ચાલો વત્સ... આપણે પણ માલવવિજેતા મહારાજ સિદ્ધરાજ જયસિંહના આ સ્વાગતયજ્ઞમાં ભળી જઈએ....' હેમચન્દ્રાચાર્યે સરસ્વતીતટે ભેગા થયેલા લોકો તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું.
ગુરુદેવ...... રામચન્દ્રસૂરિ ગંભીર સ્વરે ઘડીકમાં દૂર દેખાતા જનસમૂહ તરફ તો ઘડીકમાં જે દિશામાંથી સિદ્ધરાજ જયસિંહની સેના સાથેની વિજ્ય સવારી આવવાની હતી તે તરફ દૃષ્ટિ નાંખતા બોલ્યા. બોલો વત્સ... શું વાત છે ?”
આપને નથી લાગતું મહારાજા સિદ્ધરાજ જ્યસિંહે મેળવેલો આ વિજય... મોંઘો વિજય છે ?' રામચન્દ્રસૂરિ બોલ્યા,
‘હા રામચન્દ્ર... ખૂબ જ મોંઘેરો વિજ્યું છે... આ ક્ષણભંગુર ભૌતિક સમૃદ્ધિની વિસ્તારલીલાના વિજયની માનવજાતે કેટલી મોંઘી કિંમત ચૂકવવી પડી છે... રામચન્દ્ર, આ યુદ્ધ, હિંસા, હત્યા માનવજાત માટેનું માનવીના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org