________________
હેમચન્દ્રાચાર્યજી સ્તંભતીર્થના દરિયાકિનારે એકાંત સ્થળે સમી સાંજના આથમતા સૂરજને નિહાળતા બેઠા હતા. અક્ષયતૃતિયાના દિવસે આચાર્યપદ ગ્રહણ કર્યા પછી, એ પદની ગરિમા જાળવી રાખવા સદાય સતર્ક - જાગ્રત રહેતા.
એમના કાળનું ગુજરાત - મહારાજા સિદ્ધરાજ જયસિંહની રણહાકથી ગાજતું, સમૃદ્ધિની છોળો ઉછાળતું - વિદ્યાવ્યાસંગથી ગુંજતું - જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારતું રહેતું ગુજરાત હતું - સિદ્ધરાજ જયસિંહના બાહુબળનો - શૌર્યનો પરચો - દર્શિત કરતું. ગુજરાતના ઇતિહાસનું એક સુવર્ણયુગનું અણમોલ પાનું હતું.
શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેના યુગોથી ચાલતા આવતા દ્વેષની નોંધ તો પતંજલિ ઈત્યાદિએ કરી છે પરંતુ આ કૅષ ગુજરાતમાંથી ક્યારનો લોપ પામી ગયો હતો.
વનરાજ ચાવડાના ગુરુ શીલગુણસૂરિ ચૈત્યવાસી યતિ હતા. નવા નવા સ્થપાયેલા - અણહિલપુર પાટણમાં ચૈત્યવાસીના જોરને કારણે પાટણમાં જૈન સાધુઓને પ્રવેશ મળતો નહોતો. એ જમાનાના પ્રખ્યાત આચાર્ય અભયદેવસૂરિના બે વિદ્વાન શિષ્યો, જિનેશ્વર અને બુદ્ધિસાગર - કે જેઓ પૂર્વાશ્રમમાં વેદપાઠી - શ્રીપત અને શ્રીધર બ્રાહ્મણો હતા, તેઓ વિહાર કરતા કરતા પાટણ આવી પહોંચ્યા. જૈન સાધુઓને પાટણમાં એ જમાનામાં પ્રવેશ નહોતો મળતો. બને યુવા વિદ્વાન સાધુઓએ માંડમાંડ પાટણમાં પ્રવેશ તો મેળવ્યો, પરંતુ બન્ને જૈન સાધુઓને રાત્રીવાસ માટે ચૈત્યો, અપાસરા, ઈત્યાદિ સ્થળોમાંથી જાકારો મળ્યો. બનેના મૂળભૂત બ્રહ્મતેજના સંસ્કારો જાગી ઊઠ્યા... રાજપુરોહિત સોમેશ્વરના ઘર આગળ આવી જૈન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org