________________
કલિકાલસર્વજ્ઞ
“ના, શ્રાવિકા કહો આચાર્ય અને ગુરુદેવની આજ્ઞા લઈ મને દીક્ષા આપી આપની આપના સંઘની પ્રથમ દીક્ષિત શ્રાવિકા થવાનો લાભ આપો.” - પાહિનીદેવી બોલ્યાં. એના ખભા પર કોઈકનો હાથ ફરી રહ્યો હતો. એણે નજર કરી તો ચાંચદેવ - એના પતિ ખડા હતા.
આપ મારા માટે પૂજ્ય છો, પ્રણામને લાયક છો. વયે અને જ્ઞાને વડીલ છો - હજી તો હું બાળક છું. દીક્ષા દેવાનો અધિકારી હજી હું બન્યો નથી... તમારા હાથે તો વંદનીય જિનપ્રભુના - આપણા ધર્મના મારામાં
જીવનસંસ્કાર રેડાયા. આ સંસ્કારોએ તો આ જીવને જિનપ્રભુનો બનાવ્યો. તમને દીક્ષા આપવાનો મારો અધિકાર કેટલો? મહારાજ આપનું શું મંતવ્ય
છે ?
હેમચન્દ્રાચાર્ય સૂરિ તમે માયા, મમતાનાં કર્મો ખપાવી ચૂકેલા સાચા અર્થમાં સાધુ જીવ છો. આંખો સામે કે અંતરમાં તમારાં માતાપિતા કે કોઈ પણ લૌકિક સંસારી જીવ તમારા માટે હવે સંબંધોના તાંતણે રહ્યો નથી.... ભક્તિરસનું ભાવભીનું સૂરઝરણું વહાવતા- રાગ-દ્વેષ, હિંસા સર્વથી પર એવા સૂરઝરણાના વીતરાગી સૂરિ, પાહિનીદેવીને આપ જ પ્રથમ દીક્ષા આપી - માતાને નહીં પણ એક મુમુક્ષુ દીન જીવને દીક્ષિત કરો... દેવી આગળ પધારો...”
પાહિનીદેવી આગળ આવે છે, પાછળ પાછળ ચાંચદેવ પણ આવે છે. અને આચાર્ય હેમચન્દ્રાચાર્યસૂરિના સૌ પ્રથમ શિષ્યો... એનાં માતા પિતા બન્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org