SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ પ૧ યશોધરાનાં દર્શન ભિક્ષા માંગવા જતાં થયાં હતાં ત્યારે એ પળો પૂરતો ત્યાગધર્મ તુચ્છ લાગ્યો હતો.” આદિ શંકરાચાર્યના વિરક્તિના મહાન સમુદ્રમાં માતૃપ્રેમના સંસ્મરણોનું નાવડું તરતું થઈ તપમાં વિક્ષેપ પાડી રહ્યું હતું... જિંદગીની આ સુવર્ણપળે - જન્મ જન્માંતરની મોક્ષપ્રાપ્તિની પળે મને પણ આવું જ કાંઈક થાય છે...” “હેમચન્દ્રાચાર્યજી... તમારો જન્મ આવી ક્ષણિક આવેગ કે મોહ સર્જતી પળોના કાજે આ પૃથ્વીના પાટલે નથી થયો... સંસારનાં બધાં જ આવરણો તોડીફોડી, પરમપદને પામવા તમે ચાંગમાંથી સોમચન્દ્ર અને સોમચન્દ્રમાંથી આજે હેમચન્દ્રાચાર્યસૂરિના પદે ગુરુદેવની કૃપાથી આરૂઢ થયા છો, ત્યારે આ માનવકલ્યાણકારી પંથની યાત્રામાં હું તમારા સાધ્વીગણની પ્રથમ સાધ્વી બનવાનું ગૌરવ યાચું છું. મને દીક્ષા આપો સૂરિ હેમચન્દ્રાચાર્યજી...” વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો. મંચ પરથી ગુરુદેવ દેવચન્દ્રસૂરિ પ્રાંગણમાં ઊભેલાં માતા-પિતા અને પુત્ર વચ્ચે આવી ગયા... વર્ષો પછી માતાના થયેલા દર્શને કેટલીક ક્ષણો માટે પોતાની કંથા ઓઢેલા આચાર્ય મોહ-માયાના આવરણોમાં આવી જાય એ સાધુજીવન - સાધુગણ માટે શોભાસ્પદ નહોતું. દેવચન્દ્રસૂરિ મહારાજ આ બાબતમાં કશુંક કહેવા જાય ત્યાં તો માતા પાહિનીદેવીના ઉદ્દગારો કાને પડ્યા અને હૈયું ધન્યતા અનુભવતું ફરી એક વખત બોલી ઊઠ્યું. બકુલ પવિત્ર જનની કૃતાર્થ ધન્ય છે માતા પાહિનીને... અપૂર્વ એના ત્યાગને... આજે એની કંથા ઓઢી આચાર્ય બનેલા દીકરાને જ્ઞાનમાર્ગે - ત્યાગના માર્ગે - મક્કમતાથી દોરી રહી હતી.... ગુરુદેવ દેવચન્દ્રસૂરિજી એના પટ્ટશિષ્ય અને આચાર્યપદે સ્થાપિત થયેલા હેમચન્દ્રાચાર્ય નજીક ગયા અને ખભે એનો પ્રેમાળ હાથ મૂક્યો... માતેય... હેમચન્દ્રાચાર્યજી લાગણીભર્યા સ્વરે બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy