________________
કાળના વહેતા પ્રવાહમાં “સોમચન્દ્ર - એની અગાધ વાગ્મિતાના બળે એકવીસ વર્ષની યુવાવયે ગુરુદેવ દેવચન્દ્રસૂરિની નિશ્રામાં - ધર્મશાસ્ત્રના પ્રખર જ્ઞાતારૂપે - જયસિંહ સિદ્ધરાજની ધર્મસભામાં સાધુ કુમુદચન્દ્ર પર વિજય મેળવવામાં ગુરુદેવ દેવચન્દ્રસૂરિને સહાયભૂત બની એનામાં રહેલી શક્તિનો ખ્યાલ સૌને આપી દીધો.
એક સવારે દેવચન્દ્રસૂરિની નજર અપાસરાના એક ખૂણામાં અભ્યાસમાં લીન થયેલા સોમચન્દ્ર પર પડી. સોમચન્દ્રની અભ્યાસનિષ્ઠા અને જ્ઞાન પર પ્રસન્ન એવા ગુરુએ... ચોતરા પર બેઠા બેઠા જ બૂમ પાડી. સોમચન્દ્ર...”
‘આજ્ઞા ગુરુદેવ....... એકાદ શાસ્ત્રનું પુસ્તક વાંચતા સોમચ પુસ્તકને એના યોગ્ય સ્થાને મૂકતાં ગુરુદેવને જવાબ આપ્યો.
સોચન્દ્ર અહીં આવ તો....” દેવચન્દ્રસૂરિએ એની નજીક બોલાવ્યો.
સોમચન્દ્ર ધીમાં પગલે ગુરુદેવના ચરણોમાં જઈને બેસી ગયો. અન્ય સૂરિઓ. મુનિઓ, સાધુઓ પણ ગુરુદેવ આજે કશુંક અનન્ય કાર્ય - અથવા બોધ આપવાની તૈયારી કરી રહ્યા છે. એવું માની ચોતરાની આસપાસ ગોઠવાઈ ગયા.”
સોમચન્દ્ર. થોડાક પ્રશ્નો તને પૂછવા છે વત્સ. જરૂર ગુરુદેવ... મને જ્ઞાનલાભ - ધર્મલાભ થશે.” શિષ્ય બોલ્યો.
જૈનધર્મની આધારશિલા કેટલી ? પ્રશ્ન કરતાં દેવચન્દ્રસૂરિએ એકત્રિત થયેલા શિષ્યો પર નજર ફેરવી લીધી.
ગુરુદેવ જૈનધર્મની આધારશિલા ત્રણ છે.” સોમચન્દ્ર જવાબ આપ્યો. “કઈ કઈ ?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org