________________
૩૮
દેવચન્દ્રસૂરિ અને સોમચન્દ્રએ કુમુદચન્દ્રના વિધાનનો વિરોધ કરતાં કહ્યું. ‘આહાર એ તો શરીરનું પોષક તત્ત્વ છે. શરીરમાં રહેલા આત્માનો પ્રાણ છે. સાચા કેવલીને આહાર કરવાનો બાધ નથી. અને મોક્ષ દિગંબર અવસ્થામાં રહેનારાને જ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. મોક્ષ સરિત્ર આચરનારા - ધવલ વસ્ત્રો ધારણ કરનારા - સાધનાના પંથે - કાયાનું - અને આત્માનું કલ્યાણ કરનારા સૌ કોઈ પામે છે અને સ્ત્રીઓ પણ સાધના દ્વારા મોક્ષની અધિકારી બને છે અને મોક્ષ પામે છે.’
કલિકાલસર્વજ્ઞ
ગુરુ અને શિષ્યનાં વિધાનોથી કુમુદચન્દ્રની અર્ધી હાર તો થઈ ગઈ હતી પરંતુ સભામાં બેઠેલી વિદ્વાનોની મંડળીને કુમુદચન્દ્ર હારે નહીં - એ રીતે ચુકાદો આપવાનું અગાઉથી રાજમાતા દ્વારા કહેવામાં આવ્યું હતું. સોમચન્દ્રસૂરિને આ વાતની જાણ થતાં એ પરીક્ષકોને મળ્યા અને વિગતે એના વિધાનોની સમજણ આપતાં સમજાવ્યું કે દિગંબરોના મત પ્રમાણે સ્ત્રીઓથી ધર્મ પાળવા સાધના કરવાનું શકય જ નથી પરંતુ અમારા મતે તો માનવમાત્રને એના કલ્યાણ માટે સાધના કરવાનો હક્ક ઈશ્વરે આપ્યો જ છે. મીનળદેવીને પણ સ્ત્રીધર્મની સમજ આપતાં સોમચન્દ્રે કહ્યું કે મનુષ્યના આચરણથી - સત્કાર્યથી - સદ્વિચારોથી - એનું આ દિગંબરી અજ્ઞાન દૂર થાય છે અને માનવમાત્ર - પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય મોક્ષનો અધિકારી બને છે.’
કુમુદચન્દ્રની હાર થઈ... અને રાજસભાના પાછલા બારણેથી વિજયચિહ્નો તેમ જ વિજયપત્રો અને પાલખી મૂકીને નતમસ્તકે ચાલ્યો ગયો. સિદ્ધરાજ જયસિંહ એના સમવયસ્ક યુવાન સોમચન્દ્રના જ્ઞાન પર વારી ગયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org