________________
કલિકાલસર્વજ્ઞ
૩૭
દેવચન્દ્રસૂરિને ધર્મસભામાં ખાસ હાજરી આપી વિવાદ સભાનું નેતૃત્વ લેવાનું નિમંત્રણ આપ્યું.
જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો ૫૨ બે ધુરંધરો વચ્ચે વિષદ્ વાદવિવાદ ચાલ્યો. સિદ્ધરાજ વિવિધ ધર્મો - શૈવધર્મ અને જૈનધર્મ વચ્ચે વિવાદ ચર્ચાઓનું જ આયોજન કરતો એવું નહોતું. જૈનધર્મમાં પણ દિગંબર અને શ્વેતાંબર એવા બે ફાંટા પડી ગયા હતા. દિગંબર મતના સાધુઓની સંજ્ઞા, નગ્નાવસ્થામાં રહેવાથી અને દિશાઓરૂપી વસ્ત્ર ધા૨ણ ક૨વામાં માનતી - અને એ શાખાના અનુયાયીઓ દિગંબર કહેવાતા - જ્યારે શ્વેતાંબરીઓ ધોળાં વસ્ત્રો પહેરતા હોવાથી શ્વેતાંબરી કહેવાયા.
કુમુદચન્દ્ર - દિગંબર મતના સાધુ હતા. અત્યાર સુધીમાં ચોર્યાસી સભાઓમાં જિત મેળવી મીનળદેવીના પિયર કર્ણાટકના આ સાધુ ગુજરાતમાં વિજય મેળવી કીર્તિવંત થવા આવ્યા હતા. સિદ્ધરાજે માતાના પ્રદેશના આ સાધુનો સત્કાર કર્યો. કુમુદચન્દ્ર એના ઉતારેથી પાલખીમાં બેસી રાજસભામાં ધામધૂમથી માથે છત્ર ધરીને આવ્યા. પાલખી આગળ એના અનુયાયીઓ વિજયચિહ્નો અને વિજયપત્રો લઈ પાટણના રાજમાર્ગો ૫૨ દોરદમામથી ચાલતા - ડંકાનિશાન વગાડતા રાજસભામાં આવ્યા ત્યારે સભામાં બેઠેલા વિદ્વાનો, શાસ્ત્રીઓ, રાજપુરુષો દંગ થઈ ગયા. આચાર્ય દેવચન્દ્રસૂરિ અને સોમચન્દ્રસૂરિ એમના આસને બેઠા હતા, એમની સાથે ચર્ચા આરંભતા પ્રશ્નોત્તરી શરૂ થઈ. બન્ને પક્ષના વિધાનોની નોંધણી થતી રહી.
‘અમે કેવલી ત્રિકાલદર્શી છીએ, અને અમારા મત પ્રમાણે જે કેવલ્ય અથવા મોક્ષ પામવાના માર્ગ પર હોય એને માટે આહાર ત્યાજ્ય છે. દિશા એનાં વસ્ત્ર છે. વસ્ત્ર ધારણ કરે છે તે મોક્ષને પામતો નથી - મોક્ષને પાત્ર નથી. સ્ત્રીઓ મોક્ષને લાયક નથી...' કુમુદચન્દ્રે વિજયી ટંકાર કરતાં એનો સિદ્ધાંત રાજસભામાં કરતાં સિદ્ધરાજ જયસિંહ અને સભાસદો પર એની ગર્વિષ્ઠ નજર નાંખી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org