________________
૩૬
કલિકાલસર્વજ્ઞ
ગુર્જરદેશની ગૌરવવંતી રાજસભામાં બિરાજેલા અનેક વિદ્વતજનો... માટે ગુજરાતને આંગણે પધારેલા વિદ્વાન આચાર્ય સાધુ કુમુદચન્દ્ર ભારતવર્ષના પ્રખર વિદ્વાન હતા. કર્ણાટકના આ દિગંબર પંથી સાધુ ગુર્જરદેશના આપણા વિદ્વાનો સાથે વિવાદ-ચર્ચા કરવા આવ્યા છે. દેશના અન્ય પ્રદેશોના વિદ્વાનો સાથે વાદવિવાદ કરી વિજય મેળવી ચૂકેલા આપણા અતિથિ સાથે આપણા સ્તંભતીર્થના શ્વેતાંબર આચાર્ય દેવચંદ્રસૂરિજી વિવાદ-ચર્ચા કરશે... એ પહેલાં સરસ્વતી વંદના થશે....” મહાઅમાત્ય મુંજાલે દેવચન્દ્રસૂરિ સામે સૂચક નજર નાંખતાં કાર્યક્રમની જાહેરાત કરી.”
દિગંબર પંથી સાધુ કુમુદચન્દ્ર ગુર્જરભોમના મહાઅમાત્ય મુંજાલને અને મહારાણી મીનળદેવીને - થોડાક સમય પહેલાં એની સાથે ગુજરાતના પંડિતો વાદવિવાદ કરે... અને એ વાદવિવાદમાં એ જીતે તો એનું વિજયપત્ર સાથે સન્માન કરે. એવો આહ્વાહનપત્ર મોકલ્યો હતો.
મહારાણી મીનળદેવી અને મહાઅમાત્ય મુંજાલે એ આહવાહન સ્વીકારી એને પાટણ આવવાનું નિમંત્રણ પાઠવ્યું - મીનળદેવી - મૂળ, કર્ણાટકનાં રાજવીવંશની કુંવરી હતી. શ્યામવર્ણી મીનળદેવી અને કર્ણદેવનું દાંપત્યજીવન ડામાડોળ હતું. આમ છતાં રાજનીતિની નિપુણ ચણીએ એની બુદ્ધિ અને લાગણીના જોરે પાટણની રાજમાતા તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતું. કર્ણદેવનું નિધન થતાં એણે બાળારાજા સિદ્ધરાજને ગાદીએ બેસાડી રાજ્યવહનની ધુરા સંભાળી લીધી હતી. અને કુશળ વહીવટકર્તા સ્વરૂપે - મહાઅમાત્ય મુંજાલના યોગ્ય માર્ગદર્શન નીચે એ રાજ્યવહનનો ભાર ઉપાડી રહી હતી. મીનળદેવીના અંતરમાં ઊંડાણમાં ઊંડે ઊંડે હતું કે કર્ણાટકનો વિદ્વાન આ ચર્ચા જીતી જાય. ગમે તેમ તોય એ આપણો જણ ગણાય.
મહાઅમાત્ય મુંજાલની ગુજરાત પ્રીતિ અજોડ અને અનન્ય હતી. મીનળદેવીની મુરાદ એની નજરે ચડી ગઈ. એ થોડીક ક્ષણો માટે વિચારમાં પડી ગયો. અડધી રાત્રે સાંઢણીસવારને સ્તંભતીર્થ દોડાવ્યો. અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org