________________
કલિકાલસર્વજ્ઞ
૩૫
જ્ઞાનચર્ચા-વિવાદની બેઠકમાં જઈ રહ્યો છું.” દેવચન્દ્રસૂરિએ કહ્યું.
ગુરુદેવ... એ સભામાં તો ગુર્જરદેશના મહાન વિદ્વાનો, વિચારકો, સંતો અને બૌદ્ધિકો હાજર હશે ને ” સોમચન્દ્ર મુનિએ પૂછ્યું.
હા વત્સ...'
એ બધાની વાણીનો - જ્ઞાનનો લાભ લેવાની મારી ઇચ્છા છે - તો આપ આજ્ઞા કરો તો હું પણ આપની સાથે વાદવિવાદની ચર્ચા-સભામાં આવું...”
જરૂર સોમચન્દ્ર, તારી જ્ઞાનપિપાસાને હું જાણું છું.” સોમચન્દ્રમુનિ ખુશ ખુશ થઈ ગયા.
એ સભામાં ભાવ બૃહસ્પતિ-સોમનાથના મહંત, આચાર્ય દેવબોધ, કટેશ્વરીના ભવાની રાશિ, વામ્ભટ્ટ કવિ શ્રીપાલ જેવા વિદ્વજ્જનો હશે એ વિચારે જ સોમચન્દ્ર મુનિ રોમાંચ અનુભવવા માંડ્યા.
દેવચન્દ્રસૂરિની સાથે વીસેક વર્ષના સોમચન્દ્ર મુનિએ રાજસભામાં પ્રવેશ કર્યો અને એની આંખો વિદ્વાનો, વૈયાકરણીઓ, શાસ્ત્રીઓ, મહંતો, આચાર્યો ને યુવા રાજવી યસિંહ સિદ્ધરાજની બન્ને બાજુ બેઠેલા જોઈ ચકાચોંધ થઈ ગઈ. જિંદગીમાં સોમચન્દ્ર પહેલી વાર આવી રાજસભામાં આવ્યો હતો.
સમય થતાં મુખ્યદ્વાર પરથી સિદ્ધરાજ જયસિંહે પ્રવેશ કર્યો. સૌ કોઈએ ઊભા થઈને એમના પ્રેમાળ યુવા રાજાને વધાવ્યો. આંખના ઇશારે રાજસભા ચાલુ કરવાની સૂચના રાજ્યસિંહાસનની બાજુમાં સમકક્ષ રત્નજડિત સિંહાસન પર બેઠેલાં મહારાણી મીનળદેવીએ મહાઅમાત્ય મુંજાલને આપી અને સ્નેહાળ નજરે પિયર - કર્ણાટકથી આવેલા સાધુ કુમુદચન્દ્ર પર નાંખી. કુમુદચન્દ્ર સાધુ એની બાજુના આસન પર બેઠા હતા. એની સાગના સોટા જેવી કાયા, આંખોમાં અનેક વિજયોની પ્રાપ્તિનો અહંકાર, ગુર્જર વિદ્વાનોની મંડળીમાં બિરાજેલા અનેક માટે એક અનોખું આકર્ષણ બની ગયું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org