________________
કલિકાલસર્વજ્ઞ
૩૩
રહે.” ગુરુદેવ દેવચંદ્રસૂરિએ આશીર્વાદ આપ્યા. .
- ધર્મલાભ થયો ગુરુદેવ, હવે જ્ઞાનલાભનું દાન કરો.” કહેતાં “ચાંગ સોમચન્દ્રએ દેવચન્દ્રસૂરિને પ્રણામ કર્યા.
સ્તંભતીર્થના દેવચન્દ્રસૂરિના અપાસરામાં સૂરિજીની નિશ્રામાં મુનિ સોમચન્દ્ર ન્યાય, તર્ક, કાવ્યાલંકાર વગેરે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો. શૈશવથી જ સોમચન્દ્રની ગ્રહણશક્તિ અને યાદશક્તિ અત્યંત તીવ્ર હતી. એક વખત વાંચેલો શ્લોક કે સૂત્ર એને કંઠસ્થ થઈ જતો. કુશાગ્ર બુદ્ધિ, અભ્યાસની ધગશ, નવું જાણવાની વૃત્તિ, અને આ બધા સાથેની એની ગુરુભક્તિનાં કારણે, દેવચન્દ્રસૂરિ એને હંમેશ એની સાથે જ રાખતા. ગુરુદેવ સાથે ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં ચાતુર્માસ સોમચન્ટે કરી. ગુરુદેવની વાણી આત્મસાત કરી, જ્ઞાનની સરવાણી ઝીલી. સોમચન્દ્ર મુનિનો મોટા ભાગનો સમય વિદ્યાભ્યાસમાં જ જતો. દેવચન્દ્રસૂરિ - સોમચન્દ્રથી ખૂબ પ્રસન્ન હતા. એની તેજસ્વિતાથી, ધારદાર વાણીથી, ઊંડી અભ્યાસવૃત્તિ પર એ મનોમન હરખાતા રહેતા.
માતા સરસ્વતી પર મુનિ સોમચન્દ્રની અખૂટ શ્રદ્ધા.
‘ગુરુદેવ...... એક સવારે સોમચન્દ્ર મુનિ, ગુરુદેવ પાસે આવતા બોલ્યા.
બોલ વત્સ, સોમચન્દ્ર, તપ, આરાધના બરોબર ચાલે છેને ?” હા ગુરુદેવ... આજે હું આપનું માર્ગદર્શન અને આજ્ઞા લેવા આવ્યો
છું.”
બોલ... શી વાત છે ? વત્સ.'
“માતા સરસ્વતીદેવીની આરાધના કરવા કાશમીર જવાની છે. માં શારદાનાં બેસણાં હિમાચ્છાદિત કાશમીરમાં છે ને ગુરુદેવ ? મારે એના ખોળે બેસીને અભ્યાસની આરાધના કરવી છે. મુનિ સોમચન્દ્ર બોલ્યા.
“વત્સ ગુરુચરણોથી સરસ્વતીદેવીના ચરણે બેસી સાધના કરવાનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org