________________
સ્તંભતીર્થની આજની રોનક અનોખી હતી... ચોરે ને ચૌટે ધંધુકાના નગરશ્રેષ્ઠિ ચાંચદેવ અને પાહિનીદેવીના પનોતા પુત્ર ચાંગદેવના ભવ્ય દીક્ષા સમારોહની જ વાત થઈ રહી હતી.
કુલ પવિત્ર જનની કૃતાર્યા.” ના દેવચન્દ્રસૂરિજીના આશીર્વચન એના હૈયાના પાલવમાં ઢબૂરતી પ્રસન્નવદના પાહિની એના પતિ સાથે પાંચ વર્ષના ચાંગને ગુરુદેવની નિશ્રામાં મૂકી, ધંધુકા પાછી ફરી ત્યારે... એની આંખોમાં સંતોષપૂર્ણ સત્કાર્ય-ધર્મકાર્ય કર્યાનાં આંસુ હતાં. ચાંચદેવની પણ કાંઈક આવી જ પરિસ્થિતિ હતી.
પાહિનીદેવી એના ભાઈ નેમિનાગ સાથે હાંફળીફાંફળી ધંધુકાથી સ્તંભતીર્થ આવી અને ધર્મસભામાં પ્રવેશતાં જ્યારે એના પતિના...
“મારો ચાંગ કુબેરના ધનભંડારનાં શિખર પર આરોહણ કરી કાળની ક્ષણિક પળો પૂરતો કુબેરપતિ થાય એ કરતાં અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિના ઉત્તુંગ - સનાતન શિખરો પર બિરાજી સર્વજીવોના કલ્યાણ માટેની જ્ઞાનની ગંગા વહેવડાવતો “ભગીરથ બની રહે એવી જ મારા જીવનની કામના છે.ના શબ્દો સાંભળ્યા ત્યારે ઘડીભર તો આનંદની મૂછ આવી ગઈ. દીકરા પાછળ ચોવીસ કલાક ઘેલા રહેતા ચાંચદેવે જે રીતે ધંધુકાથી એના દીકરાને લેવા તંભતીર્થની વાટ પકડી હતી... એનાથી પાહિનીદેવી ખળભળી ઊઠી. પાહિનીદેવી ધર્માનુરાગી સ્ત્રી હતી. એનો પતિ સદાનો ધંધામાં અને દીકરાના મોહમાં ડૂબેલો “જણ” હતો. ધર્મ પ્રત્યેની આસક્તિ એટલી બધી નહોતી. પાહિનીને ડર હતો કે આવેશમાં આવી ચાંચ એના ગુરુદેવનું અપમાન કરી બેસશે, ઝઘડો કરી ધર્માચરણની મર્યાદા લોપી બેસશે તો એનું તો જીવવું ભારે થઈ જશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org