________________
કલિકાલસર્વજ્ઞ
૨૯
શ્રેષ્ઠિવર્ય અમારે એટલું જ કહેવાનું છે કે તમે જીવનની યથાર્થતાને જાણ્યા વગર પણ ‘ઝાંઝવા’નું જીવન જીવવામાં ધર્મ, જ્ઞાન, કર્મ બધું જ ભૂલી, આ મહામોંઘા મૂલ્યવાન માનવઅવતારને ક્ષણિક સુખો, ક્ષણિક લાભો, ક્ષણિક સ્વાર્થોમાં વેડફી નાંખો છો, તમારા જેવા ભોળા ભટાક જીવોની સંખ્યા જગતમાં લાખોની છે - આવા લોકોને જિંદગીને સાચા રાહ ૫૨ લાવવાનો-દુ:ખી થતા જીવોને જ્ઞાનનો, સમજણનો, સૌદર્યનો સ્વ’નો પરિચય કરાવી મહાવીર સ્વામીના જ નહીં પણ જગતના બધા જ ધર્મોના અવતાર પુરુષોએ જે સત્ય, અહિંસા, અપરિગ્રહના પંથે દોરી જિંદગીનાં કર્મો ખપાવવાના કાર્યમાં ‘ચાંગ’ જેવા બાળકોને શૈશવથી જ જ્ઞાનના માર્ગે વાળવા છે કે જે ભવિષ્યમાં સમાજ ને લોકોને - કલ્યાણપંથે દોરે... દેવચન્દ્રસૂરિએ નાનકડું વ્યાખ્યાન આપી દીધું.
ચાંચદેવ વિચારમાં પડી ગયા. એના હૃદયમાં ગુરુદેવની વાણી ઊતરતી હતી. ઉદયન મંત્રી ચાંચદેવના ચહેરા પરના બદલાતા ભાવોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. દેવચન્દ્રસૂરિના વિચારો ચાંચદેવના અંતરમાં સ્થાયી થાય તે માટેનો પ્રયત્ન કરતાં કહ્યું, ચાંચદેવ.... ગુરુદેવની વાણી ૫૨ શાંતિથી વિચારો, તમારા દીકરાને, આ ક્ષણભંગુર જગતનો કુબેર બનાવવો છે કે પછી સમસ્ત વિશ્વમાં - માનવજીવોનાં સુખ-ચેન ખાતર અહિંસા અને પ્રાણીદયા, અપરિગ્રહ અને શમતા, જ્ઞાન અને ધર્મ માટે પોતાનું સર્વસ્વ હોમી દેનારો ધર્માત્મા ધર્મકુબેર બનાવવો છે ?”
શ્રેષ્ઠિવર્ય... તમારો આ ક્ષણનો નિર્ણય જગતને કાં તો અધર્મ, હિંસા અને દુરાચારનું નરક બનાવશે અથવા તો અહિંસા, ધર્મ અને સદાચારનું સ્વર્ગ બનાવશે. શ્રેષ્ઠિરત્ન... પલ્લુ તમારા હાથમાં છે... ક્ષણ પણ તમારા હાથમાં છે... અને નિર્ણય પણ તમારા જ હાથમાં છે....' દેવચન્દ્રસૂરિની વાણીમાં કરુણતા, મૃદુતા અને ધર્મભાવનાનું ઝરણું વહી રહ્યું હતું.
ચાંચદેવના હૈયામાં જામેલી મથામણ ૫૨ કેમ જાણે શાતાનાં શીતળજલ ફરી વળ્યાં ન હોય, એમ એનું વિહ્વળ મન - અનોખી શાંતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org