________________
૨૮
કલિકાલસર્વજ્ઞ
ચાંગની પ્રથમ મુલાકાતે - બાળ ચાંગે પૂછેલા પ્રશ્નો પરથી જ એની વિદ્વત્તા પરથી જ - પારખી લીધો હતો. ઉદયનને દેવચન્દ્રસૂરિની માનવપારખુ દક્ષતા પર નાઝ હતો. ચાંચદેવ ધીમે ધીમે મીણની જેમ ઓગળતો જતો હતો. આવેશ, ગુસ્સાની જગ્યાએ સમજણ, શ્રદ્ધા અને દીકરાનું ઊજળું ભવિષ્ય મનમાં નવાં જ દશ્યો સર્જી રહ્યું હતું.
શ્રેષ્ઠિવર્ય. ઉદર ભરાય એટલું તો તમે પરદેશની એક ખેપમાંથી કમાઈ લ્યો છો, છતાંય વધુ ને વધુ ધનોપાર્જન માટે દરિયો ખેડતા રહો છો... કમાઈ કમાઈને ધન લાવતા રહો છો ને? ધનની નિરર્થકતા જાણ્યા પછી પણ... તમારું આ કાર્ય તો ચાલુ જ છે ને ?’ ઉદયને પ્રશ્ન કર્યો.
હા.”
તો બસ, શ્રેષ્ઠિવર્ય... તમારો પાંચ વર્ષનો ચાંગ પણ ધર્મ, જ્ઞાન અને કર્મની ગઠરિયા બાંધી... સત્કર્મની પૂંજી વધારવા આ અલખને ઓટલે આવ્યો છે. દેવચન્દ્રસૂરિ બોલ્યા.
“એની જ્ઞાનભૂખને પિછાનો ચાંચદેવ... પાંચ વર્ષના બાળકે ગુરુદેવને કેવા કેવા સવાલો કરી ચકિત કરી દીધા... એની તમને જાણ છે” ઉદયન મંત્રી બોલ્યા.
“અને આ નાનકડા બાળકની પ્રતિભા પણ કેવી ! આત્મવિશ્વાસ પણ કેવો કે મહારાજશ્રીના અપાસરામાં માતાની આંગળીએ આવી.... ગુરુદેવના આસને બેસી બાળારાજા સિદ્ધરાજને એના ચરણે બેસાડી ધર્મરાજ્ય કોને કહેવાય - ધર્મરાજ્ય કેવું હોવું જોઈએ - કેમ ચલાવવું જોઈએ એનો ઉપદેશ આપવા બેસી ગયો હતો.” ઉદયને વાતનો તંતુ આગળ વધારતાં કહ્યું.
શું કહો છો મંત્રીશ્વર. મારા ચાંગે બાળારાજાની હાજરીમાં એવું દેવત્વ બતાવી દીધું ? ચાંચદેવને આશ્ચર્ય સાથે દીકરા માટે ગૌરવ પણ થયું.
ચાંચદેવ....” દેવચન્દ્રસૂરિનો ગંભીર સ્વર સભામાં ગાજી ઊઠ્યો. “આજ્ઞા ગુરદેવ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org