________________
કલિકાલસર્વજ્ઞ.
સમજણ પ્રાપ્તિની ઉત્સુક્તા એ જ આ ‘જીવ’ને મહાવીર પ્રભુની નિશ્રામાં ખેંચ્યો છે... તમે આ બાળકની પ્રજ્ઞા, ધર્મભાવના, જ્ઞાનપિપાસાને ઓળખો... અને શ્રેષ્ઠિ, ગુજરાતની સાંસ્કૃતિક, ધરતી પર ધર્મધ્વજા લહેરાતી કરવાનું પુણ્ય... યશ... આ જન્મે તમારા દીકરાને અપાવો. દેવચન્દ્રસૂરિએ ચાંચદેવના માયલા'ને ઢંઢોળતાં નાનકડું વ્યાખ્યાન આપી દીધું. વાતાવરણમાં સન્નાટો ફેલાઈ ગયો.
શ્રેષ્ઠિવર્ય.... એક વાત કહું... તમે તો શ્રાવક છો ને ?” ઉદયન મંત્રીએ ચાંચને પ્રશ્ન કર્યો. ‘હા કેમ ?”
૨૭
તો શ્રેષ્ઠિવર્ય.... ખલકના ખેલમાં સાર્થકતા-નિરર્થકતા સમજીને જે શ્રાવક જિંદગી જીવી જાય છે એ જ મહાવીર બની શકે છે.' દેવચન્દ્રસૂરિએ ઉદયન મંત્રીની વાતનો તંતુ પકડી લેતાં કહ્યું.
‘ગુરુદેવ.... પણ મારા ચાંગની દીક્ષા લેવાની આ ઉંમર છે ?” ચાંચદેવે પ્રશ્ન તો કર્યો, પરંતુ પ્રશ્નમાં રહેલું બોદાપણું એને પણ કહ્યું. શ્રેષ્ઠિરત્ન, તમે તો વ્યવસાયે વેપારી છો ને ?” ઉદયને ચાંચદેવના પ્રશ્નને સિફતપૂર્વક ઉડાડી એની મૂળ વાત પર ખેંચ્યો.
હા કેમ ?”
.
જિંદગીનાં સાચાં ખોટાં કર્મોનો હિસાબ માંડતાં - હિસાબ રાખતાં દક્ષ વ્યાપારી... તમારી પાસે અઢળક ધનના કુબેર ભંડારો ભર્યા છે... તમને બેને અને ત્રીજા તમારા દીકરાને રાતદિન ખાવા માટે કેટલું જોઈએ ?” ઉદયને પ્રશ્ન કર્યો.
ઉદર ભરાય એટલું.’ ચાંચે પ્રશ્નના ઊંડાણને સમજ્યા વગર જવાબ આપ્યો. ખંભાતનો વાણિયો ધર્મની ધજા સારા ભારતવર્ષમાં લહેરાવવા માટે મુત્સદ્દીગીરી એક સારા કર્મ માટે – પ્રજાહિત કાજે... ધર્મ કાજે અજમાવી રહ્યો હતો.
દેવચન્દ્રસૂરિ રત્નપારખુ જ નહીં પણ માનવપારખુ ઝવેરી હતા.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International