________________
૨૨
છે એની ખબર નથી, જેની કોમળ કાયાએ આજસુધી ટાઢ, તડકો કે વરસાદ જોયા નથી.... એવા નિર્દોષ બાળકને સાધુડાને સોંપી દીધો ?' ગુસ્સામાં પાહિનીના શરીરને એના બે હાથથી હચમચાવી મૂકતો ચાંચ બોલી ઊઠ્યો.
કલિકાલસર્વજ્ઞ
જીજાજી.... હોશમાં આવો.....' નેમિનાગથી રાડ પડાઈ ગઈ. ચૂપ રહેજો નેમિનાગજી.... આ અમારો ઘરનો મામલો છે. પાહિની... કોની આજ્ઞાથી આવો કાળો કામો કર્યો ? મારી પૂછવાવાટ પણ ન રાખી... ચાંગ મારો પણ દીકરો હતો... મારો પણ એના પર હક્ક હતો... મુનિશ્રી દેવચન્દ્રસૂરિજી ક્યાં અપાસરામાં જ હશે કે પછી ખંભાત જવું પડશે... ચાલાક સાધુએ... મારા દીકરાને ક્યાં સંતાડી દીધો હશે.' આવેશમાં આવી ચાંચ દીવાનખાનાની બહાર નીકળી ગયો.
પ્રાણનાથ... ક્યાં ચાલ્યા. હું પણ આવું છું... ભાઈ... તારા જીજાજીને રોક.... આવેશમાં ને આવેશમાં ગુરુદેવને કંઈક કઈ દેશે તો ભારે અનર્થ સર્જાઈ જશે..
નેમિનાગ અને પાહિનીદેવી ચાંચની પાછળ દોડ્યાં, પરંતુ દરવાજા સુધી પહોંચે ત્યાં તો ચાંચ ઘણો દૂર નીકળી ગયો હતો.
ચાંચે અપાસરામાં પ્રવેશતાં જ સામે મળી ગયેલા સાધુને પૂછ્યું. ‘સૂરિજી... દેવચન્દ્રસૂરિજી ક્યાં મળશે ?"
પધારો નગરશ્રેષ્ઠિ ચાંચ દેવ... અપાસરામાં આપનું સ્વાગત છે.' “મારે દેવચન્દ્રસૂરિજીને મળવું છે.' ચાંચ એકનું એક વાક્ય બોલતો અપાસરાના ચારે ખૂણા પર નજર ફેરવતો રહ્યો.
સૂરિજી તો ગઈ કાલે સવારે જ સ્તંભતીર્થ તરફ વિહાર કરી ગયા છે.' સાધુએ કહ્યું.
સ્તંભતીર્થ... ઓહ....' કહેતો ચાંચે અપાસરો છોડી સીધો એની પેઢી પાસે આવેલી એની હયશાળામાંથી એક અલમસ્ત ઘોડા પર જીન પાથરી સ્તંભતીર્થ તરફ રવાના થયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org