SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંચ મારતા ઘોડે સ્તંભતીર્થના ભવ્ય દરવાજામાંથી પ્રવેશી અશ્વને સીધો દેવચન્દ્રસૂરિજીના અપાસરા તરફ દોર્યો. અને ચોતરા પાસેના વૃક્ષના થડ સાથે અશ્વને બાંધી ધર્મસભાના ખંડમાં પ્રવેશ કર્યો. દેવચન્દ્રસૂરિ એ જમાનાના પ્રખર વિદ્વાન જૈનમુનિ હતા. સ્તંભતીર્થનો એમનો અપાસરો – વિદ્વાનોનું પિયર ગણાતું. ભારતભરમાંથી અનેક ધર્મોના સંતો, મહંતો, શાસ્ત્રીઓ વિદ્વાનો દેવચન્દ્રસૂરિને વંદન કરવા અને વિદ્ધજ્જનો ચર્ચા કરવા આવતા. દેવચન્દ્રસૂરિ જ્યોતિષ અને સામુદ્રિક લક્ષણના જ્ઞાતા હતા. પાહિનીદેવીએ જ્યારે એને આવતા સ્વપ્નની વાત કરી, ત્યારે સામુદ્રિક લક્ષણના જાણકાર દેવચન્દ્રસૂરિ પાહિનીદેવીના ચહેરા પરના તેજ પરથી જ એની કૂખેથી જન્મનાર બાળક - પ્રતિભાવંત - યુગપુરુષરૂપે જગતમાં પ્રતિષ્ઠા પામશે - એવી પ્રતીતિ થઈ ગઈ હતી... અને એ યુગાવતાર બાળક એના શિષ્ય તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય તેવી ઝંખના સાથે જ એણે પાહિની પાસેથી... એની કૂખે જન્મેલા બાળકને “ગોચરીમાં માંગી લીધો હતો. દેવચન્દ્રસૂરિની ધર્મસભામાં પ્રવેશતાં જ ચાંચની નજર બેઠી દડીના રાજવી પોશાકમાં બેઠેલા પાટણના મંત્રીશ્વર ઉદયન મહેતા પર પડી. ઉદયન મહેતા - પાટણના મુત્સદ્દી ધર્મપરાયણમંત્રી હતા. સમગ્ર ગુજરાત પર જૈનધર્મનું સામ્રાજ્ય સ્થપાય એવા સ્વપ્ન સાથે એ દિશામાં સતત પ્રયત્નશીલ રહેતા મંત્રીશ્વરને અપાસરામાં જોઈ ચાંચને બહુ આશ્ચર્ય ન થયું, બલકે એનો દીકરો ચાંગ કદાચ અત્યારે એના કબજામાં જ હશે એવી એક કલ્પના પણ મનમાં આવી ગઈ. ઉદયન મહેતાની આજુબાજુ સ્તંભતીર્થના નગરશ્રેષ્ઠિઓ, શ્રાવકો તેમ જ એકાદ બે જૈન સાધુઓ પણ બેઠા હતા. ખંડની મધ્યમાં સુખાસન પર દેવચંદ્રસૂરિ શાંત ચિત્તે બેઠા હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy