________________
૧૮
વ્યસ્ત હતો..
‘ગુરુદેવ....’ કશુંક વિચારતી પાહિનીદેવી ગંભીરસ્વરે બોલી. બોલો દેવી..
કલિકાલસર્વજ્ઞ
‘આપની નિર્ભેળ વાણીએ મારા મનનાં સ્વાર્થી બંધ કમાડ ખોલી નાંખ્યાં છે. પ્રભુએ પાઠવેલા આ પાર્ષદ પર મોહ, માયા અને મમતાનાં બંધનોથી ઝકડી લેવાનો મને અધિકાર કેટલો ? ગુરુદેવ... મારા ચાંગને આપના ચરણે ધરી, હું માતા તરીકેના મમત્વને પણ આપના ચરણે ધરી.... હું નિર્મોહી થાઉં છું. મારા બાળકને ધર્મના ચરણે ધરી - એને આપની નિશ્રામાં ધર્મનો પ્રહરી, સત્ય, અહિંસા, જીવદયા, અસ્તેય, અપરિગ્રહી, ભગવન્ત.. સાધુ.. ચારે દિશામાં ધર્મધ્વજ લહેરાવતો આચાર્ય બનાવી - સંસારમાં સબડતા અમારા જેવા અસંખ્ય પામર જીવોનો પથદર્શક બનાવી કલ્યાણમાર્ગી બનાવજો... મારો ચાંગ હવે તમારો શિષ્ય બને છે ગુરુદેવ. બેટા ચાંગ, તારા જન્મ પહેલાં જ ગુરુદેવને મેં તને ગોચરી’માં વહોરાવી દીધો હતો.. આજે હું તને સદેહે ગુરુદેવને અર્પી રહી છું. કલ્યાણસ્તુ...' કહેતી પાહિનીદેવી અપાસરો છોડી ઝડપથી આંખમાં ઊભરાતાં આંસુ સાડીના પાલવથી લૂંછતી....
એકો ભાવઃ સર્વથા યેન દ્રષ્ટ
સર્વે ભાવાઃ સર્વથા તેન દ્રષ્ટ’
- નો શ્લોક ગણગણતી પાહિનીપ્રાસાદ'ના રસ્તે ચાલી નીકળી....
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org