________________
૧૨
બોલી ઊઠ્યો.
“અરે પાહિનીદેવી... તમારો આ દીકરો આટલી નાની ઉંમરે કેવા કેવા સવાલો કરે છે ! યુગોથી પુછાતા આવતા આ સવાલોના જવાબો શોધવામાં તો વત્સ ચાંગ... સાત સાત જન્મારાય ઓછા પડે.’ પ્રસન્નવદને દેવચન્દ્રસૂરિ ચાંગ સામે જોતા બોલી ઊઠ્યા. હૈયામાં હરખ માતો નહોતો.
કલિકાલસર્વજ્ઞ.
ગુરુદેવ... મારા પ્રશ્નોના આ જવાબો નથી.... મારા બાળકબુદ્ધિ સવાલોથી આપ નારાજ તો નથી થયા ને ? ચાંગદેવે વિદ્વાન ગુરુવર્ય સામે નજરનું ત્રાટક માંડતા પ્રશ્ન કર્યો.
ચાંગ... તારા આ સવાલોના જવાબો તો એકાદ મહાવીર, એકાદ બુદ્ધ, એકાદ શંકરાચાર્ય કે શ્રીકૃષ્ણને ઈશ્વરકૃપાથી મળી જતાં હોય છે... અને એ મહાપુરુષો માણસો' વચ્ચે વહેંચતા... વાટતા હોય છે.' દેવચન્દ્રસૂરિએ ચાંગના પ્રશ્નના જવાબોનો હવાલો ભારતની ભોમમાં થઈ ગયેલા નરપુંગવો પર નાંખતાં કહ્યું.
ચાંગ... ફાટી આંખે દેવચન્દ્રસૂરિ સામે એક ક્ષણ પૂરતું જોઈ રહ્યો, અને કોઈક અનેરી શ્રદ્ધા સાથે બોલી ઊઠ્યો : ગુરુદેવ... મને આ સવાલોના જવાબો ન મળે ?”
દેવચન્દ્રસૂરિ ચાંગની હિંમત, ધગશ અને શ્રદ્ધા પર વારી ગયા... આટલો નાનો બાળક જ્ઞાનપ્રાપ્તિ માટે કેટલી ધગશ રાખતો હતો !
બેટા... જવાબો જરૂર મળે... હૈયે હામ અને ઈશ્વર પ્રત્યેનો અખૂટ અનુરાગ હોય તો.....' અને દેવચન્દ્રસૂરિ હજી તો વાક્ય પૂરું કરે, ત્યાં તો ચાંગ... બાજુના ખંડમાં સરકી ગયો.
પાહિનીદેવી અન્ય સાધુ ભગવંતોને વંદના કરવા ગઈ હતી, તે પાછી ફરી અને નાનકડા ચાંગને ન જોતાં હાંફ્નીફાંફળી થઈ જતી લગભગ રાડ પાડતી બોલી ઊઠી....
‘ગુરુદેવ.... મારો ‘ચાંગ’ ક્યાં ?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org