________________
૧૦
જઈ રહ્યા હતા.
“ચાંગ બેટા.... ચાંગદેવ..... આ જો પૂર્વદિશામાં આકાશમાં ખીલતી ઉષાના અજવાળાથી નગર કેવું શોભી રહ્યું છે. ગગનના ગોખલે કેવી રંગબેરંગી રંગોળી પુરાઈ રહી છે.’
માડી.... આ સૂર્યનાં કિરણોથી આપણા નગરનાં દેરાસરો, મંદિરો, દેવાલયોના સોનેરી શૃંગો કેવા ઝળહળી રહ્યા છે ! દેરાસરોમાંથી મહાવીર પ્રભુની જીનવાણી – અરિહંતની યશસ્વી ગાથા કેવી મધુરવાણીમાં આપણા કાનને પવિત્ર કરી રહી છે.’
કલિકાલસર્વજ્ઞ
હા બેટા... તારું તો ચિત્ત... આટલી નાની ઉંમરમાંથી જ અરિહંત ભગવાને ચોરી લીધું છે, ઊઠતા, જાગતા, ખાતા પીતા, બસ એનું જ રટણ તારા મુખેથી ચાલતું જ રહે છે.' પાહિની બોલી.
હા, મા.. આપણે સૌને જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા અને માનવહૃદયના કોમળ ભાવોથી રાજસી, તામસી, દુર્ગુણોને બાળી નાંખનારા શ્રી મહાવીર પ્રભુના શરણે જ જવાનું છે ને ?'
“અરે બેટા.... વાતવાતમાં તો અપાસરો આવી ગયો. ચાલ અંદર જઈ ગુરુવંદના કરીએ.' પાહિનીદેવી દીકરાની આંગળી પકડી અપાસરામાં પ્રવેશતી બોલી.
માડી.... આ પાલખીમાં કોણ આવ્યું હશે ?” અપાસરાના દ્વાર પાસે પાલખીને જોતાં ચાંગ બોલ્યો.
-
હશે કોઈ નગરના કોટ્યાધિપતિ... ગુરુદેવને વંદન કરવા અડવા પગે ચાલીને આવવું જોઈએ. પણ ગામના કરોડપતિ એનો વૈભવ અને દોરદમામ દેખાડવા પાલખીમાં બેસીને આવ્યા લાગે છે.' - કરોડપતિ ચાંચદેવની ભાર્યા કડવાશભર્યા સ્વરે બોલી ઊઠી.
Jain Educationa International
બહેન... પાટણથી મયલ્લણાદેવી... કુમાર સિદ્ધરાજ સાથે પધાર્યા છે...' પાલખી પાસે ઊભેલા ભોઈએ પાહિનીદેવીને કહ્યું.
‘ઓહ ! રાજમાતા પધાર્યાં છે ને શું....' કહેતી પાહિની ચાંગને લઈને
For Personal and Private Use Only
www.jainelibrary.org