________________
કલિકાલસર્વજ્ઞ
બોલી ઊઠે છે. શરીર પર પસીનો બાઝી જાય છે. ચાંચ ખંડમાં દોડી આવે
શું થયું... શું થયું પાહિની ?” બોલી ઊઠે છે.
કાંઈ નહીં... કાંઈ નહીં.' કહેતી પાહિની બહારથી સ્વસ્થ થઈ જાય છે. અંતરમાં તો મનોમંથન ચાલી રહ્યું છે. આવા સુંદર બાળકને ગુરુદેવને વહોરાવી દેવું પડશે ? નો સવાલ એને મૂંઝવી રહ્યો છે. શરીર ધ્રૂજી રહ્યું છે. ચાંચ પાહિનીની પીઠ પર એનો હાથ મૂકે છે. અને પાહિની ધીમે ધીમે શાંત થાય છે.
“પ્રાણનાથ....” શું છે દેવી ?
મારું પિયરનું ગોત્ર ચામુંડગોત્ર છે. તો આપણા લાડલાનું નામ ચ' અક્ષર પરથી રાખીશું ?” પાહિની બોલી.
અરે ચાંગદેવ’ જ આપણે ત્યાં આવ્યો છે. એમ રાખોને... ચાંચ... પછી ચાંગ....” ચાંચ બોલી ઊ ઠ્યો.
સુંદર અતિ સુંદર...”
ચાંગ... બેટા ચાંગદેવ... આજ્ઞા માતા...' બેટા આજે અપાસરામાં ગુરુદેવ પધાર્યા છે......”
પાંચ વર્ષના ચાંગને પાહિનીદેવી અપાસરામાં નિવાસ કરી રહેલા ગુરદેવને વંદના કરવા માટે તૈયાર કરતાં બોલી ઊઠી.
શું મા... ગુરુદેવ પધાર્યા છે. ચાલને માડી આપણે જલદી અપાસરામાં જઈએ.” કહેતો નાનકડો ચાંગ માતાને વીંટળાઈ વળ્યો.
મા દીકરો તૈયાર થઈ અપાસરે જવા નીકળ્યાં ત્યારે વાતાવરણમાં મંદ મંદ ઓતરાદા વાયરા વાઈ રહ્યા હતા. રાજપથ પર લોકોના ટોળે ટોળા તંભતીર્થથી ચાતુર્માસ ગાળવા શહેરમાં આવેલા દેવચન્દ્રસૂરિને વંદન કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org