________________
કલિકાલસર્વજ્ઞ
આનંદની લહર ” ચમકીને પાહિની બોલી.
પાહિનીને આશ્ચર્ય થયું. મુનિ મહારાજ એના અંતરમાં ક્ષણે ક્ષણે અકળ એવી ઊઠતી-ફોરતી.... પ્રસન્નતાની પળોને ક્યાંથી કેવી રીતે પામી ગયા !
હા દેવી, શી વાત છે. તમને મારી વાતમાં શંકા લાગે છે ? તમારા મુખારવિંદ પર ફોરી રહેલા દિવ્ય પ્રકાશની પ્રસન્નતાની લહર - અનોખા અગમની એંધાણીઓ ઈંગિત કરી રહી છે... દેવી તમારા દિલમાં ઘોળાતી, મૂંઝવતી કોઈ વાત નિઃસંકોચભાવે કરો.... ક્ષોભ ન રાખશો.’
દેવચન્દ્રસૂરિની વાણીમાં પાહિનીને વાત્સલ્યનો રણકો – મારાપણાનો આત્મીયભાવ દેખાયો.
‘ભગવન્ત....’ પાહિનીદેવી ક્ષોભ અનુભવતી અટકી ગઈ. દેવી... ગુરુ પાસે કશો જ સંકોચ ન રાખો... દિલમાં ઊભરતી... શંકા.....આશંકા.... મૂંઝવણ જરૂર વ્યક્ત કરો.’
‘ગુરુદેવ... આજકાલ વહેલી સવારે સપનાં ખૂબ આવે છે.' ‘સપનાં... દેવી આ તો બહુ સારી વાત છે. દેવી શાનાં સપનાં આવે છે ?” દેવચન્દ્રસૂરિ બોલ્યા.
ભગવન્ત, વહેલી સવારનાં સપનાં સાચાં પડતાં હશે ખરાં ?” પાહિની આતુરભાવે - મુનિ સામે નજર માંડતી બોલી..
સપનામાં તમે શું દીઠું દેવી.... એની તો વાત કરો.' પાહિનીદેવીના સમસ્ત અંગમાં એક મીઠી ઝણઝણાટી પ્રસરી ગઈ. ક્ષણાર્ધ પૂરતી એ. ગુરુદેવના પ્રતિભાવંત ચહેરા સામે જોઈ રહી. ચહેરા પર એ જ નિર્દોષ, નિર્મોહ સંતની પ્રસન્નતા, આંખોમાં એ જ પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણા, છલકતી હતી.
ભગવન્ત... વહેલી સવારના આજના સપનામાં કોઈક અલૌકિક, અપૂર્વ એવો તેજવલય આકાશમાંથી ઊતરીને મારા શરીરમાં પ્રવેશતો અનુભવી રહી છું.' કહેતાં પાહિનીની આંખો શરમથી ઢળી પડી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org