SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ કલિકાલસર્વજ્ઞા ‘દેવી, આ તો આનંદના સમાચાર છે. ભગવાનની અનહદ કૃપા તમારા પર ઊતરવાના સંકેતો છે. આપની પવિત્ર કુખેથી પ્રેમ અને અહિંસાના પથદર્શક એવા પુણ્યાત્મા આ પૃથ્વીને પાટલે પધારી વિદ્યા, વિરાગ અને વીતરાગની ઉપાસના દ્વારા સકળ વિશ્વના જીવાત્માઓના જ્ઞાનદર્શક, માર્ગદર્શક બનવાના છે.' ખરેખર ભગવત્ત... આપની વાણી સત્ય બની રહો ! આનંદવિભોર બની ગયેલી પાહિની બોલી ઊઠી. દેવી. દેવચન્દ્રસૂરિ સહજ ગંભીર સ્વરૂપે બોલી ઊઠ્યા. આજ્ઞા ભગવંત.” “આંગણે આવ્યો છું તો ગોચરી તો વહોરાવશો ને?” હસતા હસતા દેવચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. અરે મહારાજ. આ સંસારી માયામાં મુખ્યકાર્ય જ ભુલાઈ ગયું. ગુરુદેવ એક જ પળ.... આ.... હું આવી.” કહેતી પાહિની અંદરના ખંડમાં જવા જાય છે, ત્યાં જ એને અટકાવતા દેવચન્દ્રસૂરિ બોલી ઊઠે છે. દેવી ભગવાનની કૃપાથી આજપર્વત, ક્યારેય કોઈ પણ વસ્તુમાં આ જીવે રાગ બતાવ્યો નથી. જિંદગી આખી વિદ્યાવ્યાસંગમાં જ ગાળી છે અને હૈયે, હોઠે અને હાડે સાધુત્વની દીપધારા સદાય પ્રજ્વલિત રાખી છે, એવા આ તમારા ગુરુદેવ સાધુ દેવચન્દ્રસૂરિ તમારી કૂખે નજીકના ભવિષ્યમાં પ્રગટનારા દૈવી જીવ'ને ગોચરીમાં માંગે છે. વહોરાવશો ?' પાહિનીદેવી એક ક્ષણ પૂરતી ધ્રૂજી ઊઠી. ગુરુદેવે ગોચરીમાં આ શું માગ્યું? શરીરે પસીનો છૂટી ગયો. ચકળવકળ આંખે એ સામે આસન પરથી બેઠા થઈ ગયેલા... શાંત, સ્થિર દેવચન્દ્રસૂરિ મહારાજ સામે જોઈ રહી. અરે.. અરે.. ગુરુદેવ. આપે ભિક્ષામાં. ગોચરીમાં આ શું માગ્યું?” હા દેવી, વિશ્વના કલ્યાણાર્થે જીવદયાની કરુણા કાજે, જગતમાં જીવહિંસા ન થાય એના કાજે માનવીના હૈયામાંથી પ્રેમની અમીવર્ષા પ્રગટાવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy