________________
૧૯૯
એવો દેશદ્રોહ ધર્મદ્રોહ એક જૈન સાધુ તરીકે, સાચા જૈનત્વને અનુસરનારા તરીકે નહીં થવા દઉં. આ ધર્મપ્રેમ નથી. ધર્મઘેલછા છે. જે દૂધના ઊભરા જેટલી ક્ષણિક છે. પણ સર્વનાશને નોતરે તેટલી શક્તિશાળી છે. એકાદ મૂર્તિ એક જ સ્થાને સ્થાપવાની હઠને કારણે કે એક ધર્મસ્થાન એ જ જગ્યાએ સ્થાપવાની જીદને કારણે આખા દેશમાં સર્વનાશ સર્જનારા ધર્મને આપણે ધર્મ કહેશું ?'
ધર્મલાભ થયો ગુરુદેવ. આજથી હું સાચો જૈન' બનવાનો પ્રયત્ન કરીશ......' કહેતાં રામચન્દ્રસૂરિ હેમચન્દ્રાચાર્યજીને વંદન કરતા ચાલ્યા ગયા. હેમચન્દ્રાચાર્યજી કેટલીય પળો સુધી એના પ્રિય શિષ્યને જૈનત્વના સાચા પંથે જતા જોઈ રહ્યા.
કલિકાલસર્વજ્ઞ
Jain Educationa International
-
For Personal and Private Use Only
www.jainelibrary.org