________________
કલિકાલસર્વજ્ઞ
૧૭૧
સાંપડ્યા હોય પછી બાકી શું રહે ?' દેવચન્દ્રસૂરિએ હેમચન્દ્રાચાર્યની પ્રશંસા
કરતાં કહ્યું.
બાકી રહે છે... ગુરુદેવ, બાકી રહે છે.' હેમચન્દ્રાચાર્યજી મૂળ વાત ૫૨ આવતા બોલ્યા.
વત્સ શું ખૂટે છે... આ વૈભવી નગરીમાં ?'
ગુરુદેવ... મહારાજાની એક પ્રબળ ઇચ્છા છે કે આ નગરીમાં કોઈ પણ અકિંચન ન રહે....
અકિંચન... એટલે કે ગરીબ ”
‘હા મહારાજ....' કુમારપાળ બોલ્યા. રાજ..... કર્મનાં ફળ પર માણસની અમીરાઈ ગરીબાઈ આધારિત રહી છે... ગરીબાઈ, અમીરાઈ જ શા માટે જિંદગીની હરેક પળ, હરેક ક્ષણ, હરેક પ્રવૃત્તિ... માનવીના કર્મ પર, માનવીના સ્વભાવ ૫૨ રહી છે.... કર્મો ખપાવવા માટે તો માણસ જન્મધરીને આ પૃથ્વી પર આવે છે અને કર્મો ખપાવતાં ખપાવતાં નવાં કર્મો બાંધતો જાય છે. અને ચોર્યાસીના ચક્કરમાં અટવાતો જાય છે. આમાં અમે સાધુઓ શું કરી શકવાના ?' દેવચન્દ્રસૂરિએ કર્મની ફિલસૂફી વર્ણવતાં કહ્યું.
ગુરુદેવ... સૂરિજી આજ્ઞા કરે તો, મારા રાજભંડાર જનતા માટે ખુલ્લા મૂકી દઉં... પરંતુ એની પણ મર્યાદા તો ખરીને ?'
દેવચન્દ્રસૂરિ સામે નજર કરતાં કુમારપાળે કહ્યું.
નિર્ધનતા... અમીર ગરીબ વચ્ચેની અસમાનતા તો અનાંદિકાળથી ચાલી આવી છે... અને દરિદ્રતા - એ તો માનવીના મન પર આધાર રાખે છે... એવું જ અમીરાઈનું પણ છે... એ રૂપિયાથી તોળી તોલાતી નથી.... દેવચન્દ્રસૂરિ બોલ્યા.
‘મહારાજ....’ અચકાતા સ્વરે હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
દેવચન્દ્રસૂરિએ એના પ્રિય શિષ્ય પર આંખો માંડી., ચહેરા પરના ભાવ સમજી જતાં વૃદ્ધગુરુને વાર ન લાગી, દિલમાં દુઃખ થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org