________________
૧૭૨
કલિકાલસર્વજ્ઞ
બોલો વત્સ..” દેવચન્દ્રસૂરિ બોલ્યા.
પ્રભુ યાદ છે. વર્ષો પહેલાં કઠિયારા પાસે આપે એક અદ્ભુત વેલ જોઈ હતી ?' હેમચન્દ્રાચાર્યે ગભરાતાં ગભરાતાં સવાલ કર્યો.
દેવચન્દ્રસૂરિ શિષ્ય સામે જોઈ રહ્યા.
હા... હા... આજે પણ યાદ છે... હા પણ તેનું શું છે... એ વેલના પાંદડાનો રસ... લોખંડ, ત્રાંબા પર નાંખતાં એ બધું જ સુવર્ણમય બની જતું... હા થોડાક વિશેષ પ્રકારની સુવર્ણલતાનાં પર્ણો એ હતાં... દેવચન્દ્રસૂરિ બોલ્યા.
મહારાજ. એ સુવર્ણપ્રયોગની શિક્ષા... આપ આપના પટ્ટશિષ્યને ના આપો ? કુમારપાળ બોલ્યા.
કોને. હેમચન્દ્રને ?”
“હા મહારાજ, આજે કોટ્યાધિપતિની કહેવાતી નગરીમાં છાને ખૂણે વસતી ગરીબ પ્રજાનો ખયાલ કરી – એ અકિંચન પ્રજા પર આપના પ્રેમની છાયા સદાય ઝળુંબતી રહે એ માટેની સુવર્ણસિદ્ધિનો પ્રયોગ – એ વેલના નામનું દાન જો આપ કરો તો અનેક ભૂખ્યા-તરસ્યા પ્રજાજનોનો ઉદ્ધાર થાય.'
“હા મહારાજ આવી કોઈક સિદ્ધિની અપેક્ષા આપ પાસેથી પાટણની પ્રજા, પાટણના રાજા.. રાખી રહ્યા છે.'
દેવચન્દ્રસૂરિજી ચમકી ગયા. આંખોમાં પલાસવન સળગી ઊઠડ્યું.
શું કહ્યું ? સુવર્ણસિદ્ધિનું દાન... તમને દઉં... ? હેમચન્દ્ર. આ સુવર્ણસિદ્ધિ, મને આપવા માટે પ્રયત્ન થયા હતા પરંતુ સાધુને એ સુવર્ણલતાનું શું કામ હોય... મેં એ વિદ્યા નહોતી ગ્રહણ કરી. હેમચન્દ્ર... મહારાજ, કુમારપાળ તમારે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવી છે ?
હેમચન્દ્રાચાર્યજીનો જીવ પડીકે બંધાઈ ગયો. મહારાજ ક્ષમા કરો....... હેમચન્દ્રાચાર્ય રડી પડ્યા. સુર્વણસિદ્ધિની. એક રાજર્ષિ અને બીજા બ્રહ્મર્ષિની કક્ષાએ પહોંચેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org