SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ૧૬૯ ‘ગુરુદેવ, આપના દર્શનાર્થે મહારાજ પધારી રહ્યા છે.’ હેમચન્દ્રાચાર્ય ઉત્સાહિત અવાજે બોલ્યા. ‘ગુર્જરેશ્વર કુમારપાળ ?” દેવચન્દ્રસૂરિએ પૂછ્યું. હા, ગુરુદેવ.... હેમચન્દ્રાચાર્યજી બોલ્યા. આંખો સામે આજ, અપાસરામાં મહારાજ કુમારપાળ અને એની વચ્ચે થયેલી વાતો યાદ આવી ગઈ. હેમચન્દ્રાચાર્યજીનું ધ્યાન હવે પ્રજાના ઉત્કર્ષ તરફ વધુ રહેતું હતું. સ્વર્ગની અલકાપુરી શી પાટણનગરીમાં – ખૂણેખાંચરે રહેતા મૂડી વગરના ગરીબ, નિર્માલ્ય, લાચાર પ્રજાજનોનાં ઉદ્ધાર માટે ગરીબ શ્રાવકને ત્યાં ગોચરી લેવા ગયેલા હેમચન્દ્રાચાર્યજી – એ શ્રાવકની જ નહીં પણ પાટણના દરેક નિર્ધન પ્રજાજન આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટેનો કશોક ઉપાય વિચારી રહ્યા હતા. ત્યારે જ મહારાજ કુમારપાળ એવો જ પ્રશ્ન લઈને એની પાસે આવ્યા હતા. કુમારપાળને પણ એની રાત્રીનગરચર્યામાં આવા ભૂખે મરતાં – પૂરી આજીવિકા નહીં રળી શકતા પરિવારોનો પરિચય થયો હતો. ‘મહારાજ....' હેમચન્દ્રાચાર્યને કુમારપાળ સાથેનો એ દિવસનો સંવાદ યાદ આવી ગયો. બોલો ગુરુદેવ..... પ્રજાના આર્થિક ઉત્કર્ષ માટે આપણે કશુંક વિચારવું જોઈએ....’ હેમચન્દ્રાચાર્યજી બોલ્યા. ગુરુદેવ... સોનાનાં ઝાડ નથી ઊગતાં એટલે ખંખેરી નાંખીએ.’ કુમારપાળ બોલ્યા..... ‘રૂદ્રત્તિવિત્ત’ જેવા કાયદાના કારણે રાજ્યની તિજોરી પ૨ આવેલી ભીંસનો અનુભવ કુમારપાળને થઈ રહ્યો હતો. ‘હા... સોનાનાં ઝાડ તો નથી ઊગતાં રાજનું, પણ વનસ્પતિશાસ્ત્રમાં એક એવી સુવર્ણવેલ છે, આજે પણ છે, જેના પાંદડાનો રસ કાઢી લોખંડ, ત્રાંબુ, ઇત્યાદિ ધાતુ પર વિશિષ્ઠ પ્રકારની વનવેલનો રસ કાઢીને છાંટીએ તો એ પાત્ર સુવર્ણનું બની જાય છે.? હેમચન્દ્રાચાર્ય. બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy