________________
૧૬૮
કલિકાલસર્વજ્ઞ
ગુરુ હેમચન્દ્રાચાર્યને એની જિંદગીમાં પ્રથમ વાર ખ્યાલ આવ્યો કે એમની વિદ્યા, ગાન, મનોરથ, મહોત્સવો બધું જ ધનિકો માટે હતું. ગરીબ ભૂખ્યા તરસ્યા પાટણનગરીના આ નાગરિકો માટે રાજાએ, ધર્મસંસ્થાઓએ શું કર્યું. હેમચંદ્રાચાર્ય વિચારમાં પડી ગયા. રાજર્ષિ કુમારપાળ પાસે – પાટણ જેવી સમૃદ્ધ નગરીના એવા અનેક અંધારા ખૂણામાં વસતી દરિદ્રપ્રજાનાં દુઃખો વિષે વિચારણા કરવાનું હેમચન્દ્રાચાર્યજી વિચારી રહ્યા હતા. ત્યાં જ એક દિવસ વહેલી સવારે કુમારપાળ એના આશ્રમમાં આવી પહોંચ્યા. હેમચન્દ્રાચાર્યજીને લાગ્યું કે જો અહિંસાધર્મ માનવલક્ષી નહીં બની શકે તો એ સાંપ્રદાયિક અન્ય સંપ્રદાયોની જેમ આચારમાત્રનો સંપ્રદાય બની જશે. અંતરમાં વિષાદભાવ જાગ્યો અને અંતરમાં પ્રશ્ન થયો.
“આ દીન-દરિદ્ર શ્રાવકનું શું? એના જેવા ગુર્જરભોમ જ નહીં પણ અન્ય રાષ્ટ્રોની ગરીબીનું શું ? ધર્મ કેવો, રાજની રખાવટ કેવી... હેમચન્દ્રાચાર્યજીના મનમાં એકના એક વિચાર આવ્યા કરતા હતા.”
કલિકાલસર્વજ્ઞ એની સાધનામાં બેઠા હતા ત્યાં જ એના શિષ્ય રામચન્દ્રસૂરિ દોડતા દોડતા મંદિરમાં આવી પહોંચ્યા અને નજીક જઈને એણે સ્તંભતીર્થથી ગુરુના ગુરુ દેવચન્દ્રાચાર્યજી અપાસરામાં આવી રહ્યા છેનાં સમાચાર આપ્યા.
“શું કહ્યું રામચન્દ્ર ગુરુદેવ પધારે છે ?”
હા... આ આવ્યા જ સમજો...... રામચન્દ્રસૂરિ હજી તો વાક્ય પૂરું કરે એટલામાં તો અપાસરાના દ્વારનો ઉંબરો ઓળંગી દેવચન્દ્રસૂરિ એના અન્ય શિષ્યો સાથે અપાસરામાં પ્રવેશી ચૂક્યા હતા.
હેમચન્દ્રાચાર્યજીએ દોડીને ગુરુનાં ચરણ પકડી લેતાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને ગદ્ગદિત સ્વરે બોલી ઊઠ્યા.
પધારો.... પધારોગુરુદેવ. આજે વર્ષો પછી આ પામર શિષ્ય પર કૃપા કરી...'
અપાસરાની બહાર ફેંકા-નિશાનનો અવાજ સંભળાયો...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org