________________
હેમચન્દ્રાચાર્યજીને એના કાળમાં ધૂંધળા ભયપ્રેરિત વાતાવરણને દૂર કરી – પ્રજાના હૃદયમાં ધર્મ, અનાસક્તિ, લાગણી, સ્થાપિત કરી પ્રેમ અને અહિંસાનું સામ્રાજ્ય સ્થાપવાની આવશ્યકતા લાગી. અમારિ ઘોષણા અને અપુત્રિયાધનના ત્યાગથી પ્રારંભાયેલી ગુર્જરેશ્વર કુમારપાળની પ્રવૃત્તિઓના પ્રેરણાબળ હેમચન્દ્રાચાર્યજી હતા. પ્રજાની આંખ ઊઘડતી જતી હતી. કુમારપાળના આ બે પ્રવૃત્તિના કાયદાને પ્રજાએ વધાવ્યા હતા. મદ્યનિષેધ જેવા પ્રકાંડ વિદ્વાન પુરુષની પાસે પ્રેમનું વાતાવરણ સર્જી શરાબ છોડાવ્યો. ભવાનીરાશિ જેવાના મગજમાંથી પશુહત્યા જ દેવીના બલિદાન માટેની એક આખરી શરત છે – એ વિચારને દૂર કર્યો.
હેમચન્દ્રાચાર્યજી એક દિવસ ગોચરી વહોરાવવા એક શ્રવકને ત્યાં જઈ ચડ્યા. ગરીબ શ્રાવકે એના ઘરનું બારણું ખોલ્યું અને એક ક્ષણ પૂરતો તો સ્તબ્ધ બની ગયો. જીર્ણશીર્ણ કપડાંમાં સજ્જ એવા ગરીબ શ્રાવકે પધારો મહારાજ.. આજ અમ ગરીબને આંગણે પધાર્યા... ધનભાગ ધનઘડી... અમારે ત્યાં આપનું આગમન થયું.'
હેમચન્દ્રાચાર્ય ઉમરામાં જ ઊભા રહી ગયા. બાવન બજાર અને ચૌર્યાસી ચૌટાની ભરતખંડમાં જેની ગણના કોટટ્યાધિપતિ શ્રીમંતોની નગરી તરીકે થતી હતી એવી એ જ ભવ્ય નગરીની અંધારી ગલીમાં ભૂખ્યો-તરસ્યો શ્રાવકનો પરિવાર પણ રહેતો હતો. શ્રાવકે ખૂબ જ સંકોચાઈને આંખમાં આંસુ સાથે એની અસહાયતા સાથે હેમચન્દ્રાચાર્યજીને એના ભિક્ષાપાત્રમાં યતકિંચિત અન ગોચરીમાં વહોરાવ્યું અને શરમના માર્યા ઝડપથી એના ઘરનું બારણું બંધ કરી દીધું. હે યદ્રાચાર્યજીએ સહર્ષ એ સ્વીકાર્યું પણ ખરું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org