________________
કલિકાલસર્વજ્ઞ
બોલ્યા.
“મહારાજ... વંદન..... અરે મંત્રીશ્વર તમે પણ અહીંયાં છો ને શું ?” પીપળાના વૃક્ષ પરના ચોતરા નીચે પાથરેલા પાથરણા પર વૃદ્ધ મંત્રીશ્વરને એને જોઈને ઊભા થતા જોઈ કુમારપાળ બોલી ઊઠ્યા.
મહારાજ... જે કાર્ય માટે આપ વહેલી સવારે અહીં દોડી આવ્યા છો... એ જ કાર્ય માટે હું મારી બધી જ ઉલઝનો આચાર્યશ્રીના ચરણે મૂકવા આવ્યો છું.’ ઉદયન મંત્રી બોલ્યા.
‘સૂરિશ્વર....’ કુમારપાળજી ખુલ્લા આસમાન નીચેના પીપળાના વૃક્ષ નીચેના ચોતરા પર જમાવતાં બોલ્યા.
૧૫૭
મહારાજ... હું તમારી જ મૂંઝવણનો ઉકેલ શોધી રહ્યો છું.’ આચાર્યશ્રી બોલ્યા.
મહારાજ... આ પણ કાળો કેર કહેવાય હો.... દાદાગીરીની પણ હદ હોવી જોઈએ.... મદ્યનિષેધના કાયદાનો છડેચોક ભંગ એટલે શું ? ઉદ્દયન મંત્રી ઊકળી ઊઠ્યા.
મંત્રીશ્વર... આમ ઊકળી જવાથી, હતાશ થવાથી કે ગુસ્સે થઈ રાજની દંડસહિતાનો ઉપયોગ કરવાથી આચાર્યજીના કિસ્સામાં કંઈ જ નહીં વળે.. ' હેમચન્દ્રાચાર્યજી બોલ્યા.
છેલ્લા ચોવીસ કલાકથી વૃદ્ધ જૈનધર્મી મંત્રીશ્વર આચાર્ય દેવબોધની ધૃષ્ટતા પર અકળામણ વ્યક્ત કરતા હતા.’
કેમ... ગુજરાતભરમાં મનિષેધનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાતના જ પાટનગ૨માં આમ છડેચોક કાયદાનું ઉલ્લંઘન થાય એ કેમ ચાલે ?' કુમારપાળે પણ પ્રશ્ન કર્યો.
મહારાજ, આચાર્ય દેવબોધ આપણા સૌના માન અને આદરના અધિકારી છે. એમની વિદ્વત્તા, અભ્યાસ, અધ્યયન અને સમસ્ત ગુજરાતની પ્રજાનાં હૃદયમાં અનેરું સ્થાન જમાવી બેઠેલા માનનીય સંત છે...' હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
V
www.jainelibrary.org